July 19th 2011

ભુલોનો ભંડાર

                           ભુલોનો ભંડાર

તાઃ૧૯/૭/૨૦૧૧                                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

        પૃથ્વી પર જ્યારથી જીવને દેહ મળ્યો છે ત્યારથી તે દેહ ભુલ કરે જ છે.
પછી તે ગમે તે જીવ હોય પવિત્ર,અપવિત્ર કે પરમાત્મા બધાજ તેમાં સંડોવાય
છે અને તે ભુલનું પરિણામ ભોગવે છે.

* શ્રી રામ હરણને મારવા નાગયા હોત તો સીતાજીને રાવણ ઉઠાવી ગયા નાહોત.
* મામા કંસને જ્યોતીષે કહ્યુ ના હોત તો શ્રીકૃષ્ણનો જન્મ જેલમાં ના થયો હોત.
* અમેરીકાથી થોડા સમય માટે આવેલાનો દેખાવ જોઇને અહીં આવવાનો મોહ ના
   લાગ્યો હોત તો આપણા દેશમાં સુખી હોત.
* દેખાવના સાગરમાં બાળકોને ભુલથી લઈને આવતાં સંસ્કાર ભુલી જઇ અને     
   હાય શરૂ થતાં દારૂ માંસ શરૂ થાય અને પોતાની જ્ઞાતિ છોડી ઘરમાં નીચી
  કોમની વહુ કે વર લાવે છે.
* અમેરીકા પહોંચ્યા ની ભુલ પછી જ ઉંમર થતાં ધરડા ઘરમાં રહેવુ પડે અને
   સરકારથી મળેલ પૈસે જીવન જીવવું જ પડે.
* કુતરૂ કે બિલાડું ઘરમાં પાળવાની ભુલે ઘરની બહારનું જીવન ન માણી શકાય કારણ
   તેમને ખવડાવવા પીવડાવવાની જવાબદારી તમારી છે.
* મળ્યા ભાઇની પ્રીત સારી નહી તો ઘણી તકલીફો માથે પડે જ.
* બાળકોને સાચા માર્ગે જો નહીં લઈ જાવ તો તેમની બગડતી જીંદગીના જવાબદાર
   તમે જ છે.
* માન મર્યાદા અને સંસ્કાર ને સાચવવાની જવાબદારી તમારી છે.તે ના ભુલાય.
* જ્યાં બાળકો માબાપને નમન કરવાનુ ભુલી જાય ત્યાં કુદરતનો કોપ મળે છે.
* વાણી અને વર્તન એ તમારી મુડી છે તે કદી ના ભુલાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment