July 7th 2011

સદવિચાર

                            સદવિચાર

તાઃ૭/૭/૨૦૧૧                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

વિચારોને માળીયે મુકતા મનને શાંન્તિ મળી જાય.
આવતી ઝંઝટને ઝાપટ મારતા એ દુર ભાગી જાય.
સુખમાં ભક્તિ સંગે રાખતાં દુઃખ દુર ચાલતુ જાય.
સંકટની સાંકળ ના શોધવા સમયને સમજીને ચલાય.
મળેલા માન અને સન્માન તો ભુતકાળ કહેવાય.
લાયકાત ને સમજી લેતા એ કદી દુર ના ચાલી જાય.
માગણી કદી માનવીથી ના કરવી એ કળીયુગી કલમ કહેવાય.
પરમાત્માની પ્રાર્થનામાં હંમેશા જીવની શાંન્તિને મંગાય.
ભજન અને ભક્તિ એ પ્રભુનીકૃપા પ્રાપ્ત કરવાની દૈહીક રીત છે.
માગણી એ માનવીની લાચારી છે,કૃપાએ જીવની લાયકાત છે.
સાચા સંતના આશિર્વાદ એ જીવની સાચી ભક્તિ છે.
દેખાવની દુનીયામાં ઘુમ્યા કરતાં ઘરમાં રહેવું એ સાચી સમજણ છે.

++++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment