May 27th 2017

અદભુતલીલા

.Image result for અવિનાશી
.             .અદભુતલીલા
તાઃ૨૭/૫/૨૦૧૭                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

આણી વાણી ના જાણી કોઇએ,જગતમાં સમયથી પકડાઇ જાય
નિર્મળ જીવનની રાહે જીવતા,માનવીને અનંત શાંંન્તિ મળી જાય
....આ અદભુત લીલા છે અવિનાશીની,જે પાવનજીવન પણ આપી જાય.
સમયને નાપકડે કોઇ જીવ,સમજીને સંગેરહેતા આણીથી અડકાય
મળેલ સંબંધને પકડીને ચાલતા,જીવનમાં વાણી સમજીને બોલાય
કુદરતની આ અજબ શક્તિ છે,મળેલ દેહને કાયમએ સ્પર્શી જાય
મહેંકપ્રસરે જગતમાં મળેલ દેહની,જે જીવનો જન્મપાવન કરી જાય
....આ અદભુત લીલા છે અવિનાશીની,જે પાવનજીવન પણ આપી જાય.
મેં કર્યુ એ સમજણ છે માનવદેહની,જે કર્મની કેડીને અડી જાય
મળેલદેહ એ કર્મના છે બંધન,જે આગમનથી મળતા અનુભવાય
નિર્મળ ભક્તિ એ પવિત્ર રાહ દેહની,જે જીવના વર્તનથી સમજાય
જીવનુ આવનજાવન એદેહ છે,જલાસાંઇ કૃપાએ જીવથીએ છોડાય
....આ અદભુત લીલા છે અવિનાશીની,જે પાવનજીવન પણ આપી જાય.
======================================================
May 19th 2017

પ્રેમાળરાહ

.Image result for મળતો પ્રેમ.
.            .પ્રેમાળરાહ
તાઃ૧૯/૫/૨૦૧૭             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલ જીવનની મહેંક પ્રસરે અવનીએ,જ્યાં પ્રેમાળ રાહનો સંગ મેળવાય
કુદરતની આ અજબછે લીલા,જે દેહ મળેલ જીવને અનુભવ આપી જાય
......માનવદેહ એ કૃપા પરમાત્માની,જે પવિત્રકર્મની રાહે ભક્તિમાર્ગ દઈ જાય.
અવનીપર જન્મમરણ એ છે કર્મના બંધન,જે જીવને દેહ મળતા દેખાય
અનેક દેહ અવનીપર પ્રસરે,જે પશુ પક્ષી પ્રાણી અને માનવદેહ કહેવાય
કર્મબંધન એ સ્પર્શે માનવીને,જે થકી જીવનુ દેહથી આગમન થઈ જાય
મળે છે દેહને સંબંધ સંબંધીઓનો,જે કરેલ કર્મના બંધનની રાહ કહેવાય
......માનવદેહ એ કૃપા પરમાત્માની,જે પવિત્રકર્મની રાહે ભક્તિમાર્ગ દઈ જાય.
શીતળરાહની કેડી પકડવા અવનીએ,નિર્મળ ભક્તિ અને પાવનપુંજા થાય
અપેક્ષાના વાદળને છોડવા જીવનમાં,શ્રધ્ધાનો સંગ રાખી ભક્તિ પ્રેમે થાય
માનવજીવન એ સંસારનો સંબંધ,જે દેખાવની ભક્તિએ સંતો બતાઈ જાય
નિર્મળરાહ મળે માનવીને ભક્તિએ,જે પ્રેમાળ રાહનો સંગ પણ આપી જાય
......માનવદેહ એ કૃપા પરમાત્માની,જે પવિત્રકર્મની રાહે ભક્તિમાર્ગ દઈ જાય.
==========================================================

	
May 15th 2017

જીવની અભિલાષા

.         .જીવની અભિલાષા
તાઃ૧૫/૫/૨૦૧૭          પ્રદીપ બ્રહ્મભટ્ટ

પકડી પ્રેમની પાવન કેડી,જીવનની જ્યોત પ્રગટાવી જાય
અંતરમાં આનંદની વર્ષા થતા,મળેલ જન્મસાર્થક થઈ જાય
....એ કૃપા અવિનાશીની,જીવને ના અભિલાષા કોઇ અડી જાય.
જીવને પકડેછે કરેલ કર્મ,જે મળેલ દેહથી અનુભવ થાય
અવની પરનુ આગમન એ બંધન,જે જન્મ મળતા દેખાય
પરમકૃપાળુ પરમાત્માછે,જીવને નિર્મળ ભક્તિ આપી જાય
મળે કૃપા ભગવાનની જીવને,જે દેહના વર્તનથી સમજાય
....એ કૃપા અવિનાશીની,જીવને ના અભિલાષા કોઇ અડી જાય.
ઉજ્વળ જીવનની રાહ પકડે,મળેલજન્મ સાર્થક કરી જાય
પાવન કર્મ સ્પર્શે દેહને,જે સંત જલાસાંઈની કૃપાએ થાય
ના અપેક્ષાના કોઇ વાદળ વર્ષે,કે ના કોઇ મોહ મેળવાય
એજ જીવનની જ્યોત પ્રગટાવે,જે દેહના વર્તનથી દેખાય
....એ કૃપા અવિનાશીની,જીવને ના અભિલાષા કોઇ અડી જાય.
================================================
May 14th 2017

જ્યોત જીવનની

..Image result for જ્યોત જીવનની..
.           .જ્યોત જીવનની
તાઃ૧૪/૫/૨૦૧૭             પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુદરતની પાવનકેડી મળે દેહને,જે જીવને પવિત્રરાહ આપી જાય
જન્મ મળેછે જીવને અવનીએ,જ્યાં માબાપના પ્રેમની વર્ષા થાય
......કર્મની નિર્મળ કેડી મળે જીવનમાં,જ્યાં નિર્મળ ભક્તિ પ્રેમે થાય.
અંધકાર ભરેલ માર્ગને ના ઓળખતા,આ કર્મનીકેડી બગડી જાય
માનવજીવનમાં સમજનો સંગાથ લેતા,જીવનની જ્યોત પ્રગટીજાય
થયેલ કર્મ એ જીવનને સ્પર્શે,ના કોઇથી જગતમાં છટકી શકાય
પરમાત્માની કૃપામળે જીવને,જયાં સમયને સમજીને જીવન જીવાય
......કર્મની નિર્મળ કેડી મળે જીવનમાં,જ્યાં નિર્મળ ભક્તિ પ્રેમે થાય.
ના અપેક્ષાનીકેડી સ્પર્શે દેહને,જ્યાં શ્રધ્ધા વિશ્વાસથી પુંજન થાય
મળે અંતરથી આશિર્વાદ જીવનમાં,જ્યાં વડીલને પ્રેમથીવંદન થાય
કુદરતની અજબલીલા અવનીએ,જીવને આવન જાવનથી સમજાય
કળીયુગ સતયુગએ અવિનાશીની લીલા,ભક્તિપ્રેમથી બચાવી જાય
......કર્મની નિર્મળ કેડી મળે જીવનમાં,જ્યાં નિર્મળ ભક્તિ પ્રેમે થાય.
=====================================================
May 11th 2017

કર્મધર્મના સંબંધ

.          .કર્મધર્મના સંબંધ 

તાઃ૧૧/૫/૨૦૧૭             પ્રદીપ બ્રહ્મભટ્ટ

અનેક સંબંધ જગતમાં જીવને સ્પર્શે,જે મળેલ દેહના આગમથી દેખાય
અવનીપરનુ આવનજાવન લીલા કુદરતની,જીવ કર્મના બંધનથી બંધાય
......એજ કૃપા પરમાત્માની જીવ પર,જે પવિત્ર ધર્મની કેડી બતાવી જાય.
જન્મમરણ એજીવના છે બંધન,જે કરેલ કર્મથી જીવનમાં અનુભવ થાય
મળેલ દેહ એકૃપા પરમાત્માની જગતમાં,અનેક દેહ થકીએ દેખાઇ જાય
કર્મની કેડી એ લાયકાત છેજીવની,જે સત્કર્મથી અવનીપર જીવાડી જાય
કરેલ કર્મમાં ના માગણી કોઇ અડે,કેના કોઇ અપેક્ષાના વાદળ મેળવાય
......એજ કૃપા પરમાત્માની જીવ પર,જે પવિત્ર ધર્મની કેડી બતાવી જાય.
પવિત્ર જીવનનીરાહ મળે જીવને,જ્યાં પવિત્ર ધર્મથી સાચીરાહ પર જવાય
મંદીર માળાની ના જરૂર જીવનમાં,જ્યાં સંત જલાસાંઇની કૃપા મેળવાય
પાવનરાહ મળી જાય જીવનમાં,જ્યાં જીવોને શ્રધ્ધા પ્રેમે ભોજન કરાવાય
માનવજન્મ સાર્થક કરવા અવનીએ,નાતજાતને છોડી મનુષ્ય રીતે જીવાય
......એજ કૃપા પરમાત્માની જીવ પર,જે પવિત્ર ધર્મની કેડી બતાવી જાય.
========================================================
May 10th 2017

દેહનો સંબંધ

.         .દેહનો સંબંધ  

તાઃ૧૦/૫/૨૦૧૭          પ્રદીપ બ્રહ્મભટ્ટ 

સુખદુઃખનો સંબંધ છે દેહને,જે જીવને દેહ મળતા અનુભવાય
કુદરતની છે આ કરામત અવનીએ,અબજો વર્ષોથીએ ગંઠાય
......ઉજ્વળ કર્મની કેડીએ જીવતા,દેહને પાવનરાહ પણ મળી જાય.
સત્કર્મનો સંગાથ રાખતા જીવનમાં,પરમાત્માનીકૃપા થઈ જાય
મળે માનવતાની નિર્મળકેડી જીવને,સુખનો સંગાથ મળી જાય
પવિત્ર પાવનકર્મ શ્રધ્ધા એ થતા,દેહથી દુઃખ દુર ભાગી જાય
મળેલ દેહને સ્પર્શે પ્રભુકૃપા,ત્યાં દેહને અનંતશાંન્તિ મળી જાય
.....ઉજ્વળ કર્મની કેડીએ જીવતા,દેહને પાવનરાહ પણ મળી જાય.
અવની પર અનેક દેહ મળે જીવને,જે તેના બંધનથી મેળવાય
માનવદેહ પર પ્રભુની કૃપા થતા,જન્મમરણના બંધન છુટીજાય
જીવને દેહનો સંબંધ રહે,જ્યાં કર્મનાબંધન જીવને સ્પર્શી જાય
આવન જાવનએ લીલા અવિનાશીની,જે થયેલ કર્મથી સમજાય
.....ઉજ્વળ કર્મની કેડીએ જીવતા,દેહને પાવનરાહ પણ મળી જાય.
====================================================
May 6th 2017

મળે શાંંતિ

.           .મળે શાંન્તિ 

તાઃ૬/૫/૨૦૧૭              પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને મળે શાંંન્તિ જીવનમાં,એ દેહની પાવન રાહ કહેવાય
અપેક્ષાને દુર રાખીને જીવતા,પરમાત્માનો પ્રેમ પણ મેળવાય
...અજબકેડી પરમાત્માની જગતપર,જીવને દેહ મળતાજ સંબંધે મળી જાય.
સુખ શાંન્તિ એ જીવને દેહ મળતા,કર્મના બંધનથી સમજાય
મળેલ દેહ અવનીએ જીવને,જે દેહ મળતા જ જોઇ  લેવાય
કુદરતની સાંકળથી જગતમાં,અનુભવનો ભંડારપણ મળી જાય
મળે નિખાલસ પ્રેમ દેહને,એ જીવનાજ પ્રેમના બંધન કહેવાય
...અજબકેડી પરમાત્માની જગતપર,જીવને દેહ મળતાજ સંબંધે મળી જાય.
પ્રસરે માનવતાની મહેંક અવનીએ,જ્યાં પવિત્ર રાહથી જીવાય
મળેમનને શાંંન્તિ જીવનમાં,જેપરમાત્માની પાવન કૃપા કહેવાય
કરેલ કર્મના બંધનજ સ્પર્શે જીવને,જે મળેલ દેહથી અનુભવાય
ના માગણી કે ના અપેક્ષા રહે જીવની,જે નિર્મળતાએજ દેખાય
...અજબકેડી પરમાત્માની જગતપર,જીવને દેહ મળતાજ સંબંધે મળી જાય.
=======================================================
May 5th 2017

ગેરલાભ

.           .ગેરલાભ
તાઃ૫/૫/૨૦૧૭           પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્ર જીવનની કેડી પકડી ચાલતા,જલાસાંઈની કૃપા થાય
મળેલ દેહની માનવતા પ્રસરે,જ્યાં પાવનકર્મનો સંબંધ થાય
.....નિર્મળ જીવનમાં સંગાથ મળે પ્રેમથી,ના કોઇ ગેરલાભ લઈ જાય.
શીતળતાનો સંગ મળે જીવનમાં,જે અનંત પ્રેમ આપી જાય
મળેલ દેહની પાવનરાહ જોઇ,પરમાત્માનીય કૃપા થઈ જાય
સફળતાનો સહવાસમળતા,અનેક કાર્યોમાં સફળતામળી જાય
જીવને મળે દેહને અવનીએ,સુખસાગરની વર્ષા મળતી જાય
.....નિર્મળ જીવનમાં સંગાથ મળે પ્રેમથી,ના કોઇ ગેરલાભ લઈ જાય.
કર્મના બંધન એ સ્પર્શે જીવને,જે જન્મ મળતા દેખાઈ જાય
અવનીના બંધનછે દેહના,એજ અવિનાશીની લીલા કહેવાય
નિર્મળ ભક્તિ મનથી કરતા,દેહને નાકોઇ ગેરલાભ દઈ જાય
સત્કર્મની પાવનરાહે ચાલતા,પરમાત્મા આફતથી દુર લઈજાય
.....નિર્મળ જીવનમાં સંગાથ મળે પ્રેમથી,ના કોઇ ગેરલાભ લઈ જાય.
====================================================
May 3rd 2017

સમયનો સંગ

.        .સમયનો સંગ 

તાઃ૩/૫/૨૦૧૭         પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અનેક સંગનો સાથ મળે છે જીવને,જે દેહને સ્પર્શી જાય
અગમનિગમ લીલા છે અવીનાશીની,અનુભવથી સમજાય
......જીવનમાં સમયને સમજી ચાલતો માનવી,પાવનકર્મ કરી જાય.
મળે દેહ અવનીએ જીવને,ત્યાંજ સમયનો સંગ મળી જાય
ઉંમર એજ પ્રથમ સંગ છે સમયનો,ના કોઇથી દુર જવાય
સમયને પકડી ચાલવા જીવનમાં,નિખાલસતાએ જ જીવાય
મળે માનવતાનોસંગ સાથીઓનો,જે જીવને પ્રેમ દઈ જાય
......જીવનમાં સમયને સમજી ચાલતો માનવી,પાવનકર્મ કરી જાય.
જુવાનીમાં નાજકડે કોઇદેહને,જ્યાં મનમક્કમ રાખી જીવાય
સફળતાનો સંગાથ મળે જીવનમાં,ના કોઇ આફત અથડાય
ભક્તિભાવથી માળાકરતા,જલાસાંઇના આશીર્વાદ મળી જાય
કલમની નિર્મળકેડી પકડતા,માતાનીકૃપાયે લેખો લખાઈ જાય
......જીવનમાં સમયને સમજી ચાલતો માનવી,પાવનકર્મ કરી જાય.
===================================================
April 30th 2017

માગણીની માયા

.          .માગણીની માયા

તાઃ૩૦/૪/૨૦૧૭              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કુદરતની કેડી છે નિરાળી,જીવનમાં અનેક રીતે એ સ્પર્શી જાય
અનુભવની અદભુત છે કેડી,જે માનવજીવનમાં અનેકરીતે દેખાય
......જ્યોત જીવનની પ્રગટે અવનીએ,જ્યાં માગણીની માયા છુટી જાય.
ભણતર એ નિર્મળકેડી છે,જે શ્રધ્ધાએ સમજીને જીવનમાં ચલાય
મળે કૃપા માસરસ્વતીની,અનેક સંબંધીઓનો પ્રેમ પણમળી જાય
ના અપેક્ષા કોઇ જીવનને સ્પર્શે,એજ પવિત્રરાહની કૃપા કહેવાય
નિર્મળ રાહનો સંગ મળેલ જીવનમાં,જે પાવનકર્મ જ કરાઈ જાય
......જ્યોત જીવનની પ્રગટે અવનીએ,જ્યાં માગણીની માયા છુટી જાય.
મળે પ્રેમ માબાપનો સંતાનને,જ્યાં નિર્મળભાવે વંદન કરી જવાય
આશીર્વાદની એક જ કૃપાએ,મળેલ જન્મને પાવન એ કરી જાય
અંતરથી કરેલ સેવા જગતમાં,જીવપર જલાસાંઇની કૃપા થઈ જાય
ભક્તિમાર્ગ એ શ્રધ્ધાએ કરેલ કર્મ છે,જે જીવને અનુભવે સમજાય
......જ્યોત જીવનની પ્રગટે અવનીએ,જ્યાં માગણીની માયા છુટી જાય.
======================================================

	
« Previous PageNext Page »