March 7th 2021

કૃપાળુ દુર્ગામાતા

##ચૈત્ર નવરાત્રિમાં માતાજીનાં વિવિધ સ્વરૂપોની પૂજા કરો | chitralekha ##

.          .કૃપાળુ દુર્ગામાતા

તાઃ૭/૩/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

ભારતની ધરતીને પવિત્ર કરવા,પરમાત્માની પાવનકૃપા થાય
પવિત્રદેહથી ભક્તોપર કૃપા કરવા,માતા દુર્ગાથી આવી જાય
.....હિંદુ ધર્મમાં પવિત્રભાવથી ભક્તિ કરતા,પવિત્રકૃપાજ મળી જાય.
પરમાત્માનો પ્રેમ ભારત પર,જે મળેલ દેહને સુખ આપી જાય
પ્રથમસ્વરૂપ લીધુ મા શૈલપુત્રીથી,જે પ્રથમનોરતે પુંજન કરાય
નવરાત્રીના બીજા દીવસે ગરબામાં,મા બ્રહ્મચારીણી આવીજાય
તાલીઓના તાલસંગે ત્રીજા નોરતે,માતા ચંદ્રધંટાના દર્શન થાય
દુર્ગામાતાનો પવિત્રપ્રેમ ભારતદેશપર,એ નવદુર્ગાથીજ મેળવાય
.....હિંદુ ધર્મમાં પવિત્રભાવથી ભક્તિ કરતા,પવિત્રકૃપાજ મળી જાય.
ચોથા નોરતે માતા કૃષ્માંડાથી આવીજાય,તાલીએ ગરબા રમાય
પવિત્રપ્રસંગમાં ગરબે રમતા,પાંચમા નોરતે સ્કંદમાતા આવીજાય
અનંતઆનંદ મળે નવરાત્રીમાં,છઠ્ઠેનોરતે માકાત્યાયની આવીજાય
સાતમે નોરતે મા કાલરાત્રીના દર્શનકરી,સંગે ગરબે ધુમતા ફરાય
માતાદુર્ગાની કૃપાએ આઠમા નોરતે,મા મહાગૌરીના દર્શન કરાય
સિધ્ધીદાત્રી માતા નવમેનોરતે પધારી,ભક્તોને અનંતપ્રેમ દઈજાય 
.....હિંદુ ધર્મમાં પવિત્રભાવથી ભક્તિ કરતા,પવિત્રકૃપાજ મળી જાય.
******************************************************

	
February 16th 2021

વસંત પંચમી

***આ છબીમાં ઑલ્ટ એટ્રિબ્યુટ ખાલી છે, તેનું ફાઇલ નામ image-4.png છે***

.           વસંત પંચમી 
       (જન્મદીવસની શુભેચ્છા)
તાઃ૧૬/૨/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્ર વસંતપંચમી છેઆજે,જેમાં માતાસરસ્વતીને પુંજનથી વંદન થાય
પાવનકૃપા મળે માતાની માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ધુપ આરતી કરાય
.....હિન્દુ ધર્મમાં અનેક પવિત્ર દીવસ છે,જેમાં શ્રધ્ધાથી પુંજન અર્ચન થાય.
મળે માનવદેહ એજ કૃપા પરમાત્માની,જે જીવને આગમન આપી જાય
થયેલ કર્મનો સંબંધ છે જીવને,એ અવનીપર જન્મમરણથીજ મળી જાય
પરમાત્માની પવિત્રકૃપા ધરતીપર,જે જીવને ગતજન્મના કર્મથી મેળવાય
પવિત્રધર્મ હિંદુછે જગતમાં,જે ધર્મમાં અનેકપવિત્ર તહેવારમાં પુંજન થાય
.....હિન્દુ ધર્મમાં અનેક પવિત્ર દીવસ છે,જેમાં શ્રધ્ધાથી પુંજન અર્ચન થાય.
ધુપદીપ પછી વંદન કરી આરતી કરાય,સંગે માતાને ભોગ પણ ધરાવાય
શ્રધ્ધાથી માતાની પુંજા કરતા,ૐ એમ મહાસરસ્વત્યે નમઃનુ સ્મરણ થાય
માતાની પાવનકૃપા માનવદેહને સમજણ આપે,જે જીવને શાંંતિ મેળવાય
પવિત્ર તહેવારની કૃપા ભારતદેશમાં,પરમાત્મા અનેકદેહથી જન્મલઈ જાય
.....હિન્દુ ધર્મમાં અનેક પવિત્ર દીવસ છે,જેમાં શ્રધ્ધાથી પુંજન અર્ચન થાય.
############################################################
February 6th 2021

રામ ભક્ત હનુમાન

@Image result for શ્રી હનુમાન.@

.         રામ ભક્ત હનુમાન                

તાઃ૬/૨/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
પવિત્રપ્રેમની ગંગા લઈ જીવનમાં,શ્રી રામ સંગે સીતાને મળી જાય
પાવનકર્મની પ્રેરણામળી ભક્તિથી,જે પવિત્રરાહથી મદદ કરી જાય
....ગદાધારીને અજબ શક્તિશાળી થયા,જે શ્રીરામની કૃપાય મેળવી જાય.
પવનપુત્ર હનુમાન સંગે માતા અંજનીના,લાડલા દીકરા પણ  કહેવાય
અવનીપરના આગમન પછી,પવિત્રકર્મનો સંગાથ પણ મળ્યો જીવનમાં
પરમાત્માએ દેહ લીધો ભારતમાં,જે ધરતીપર ભગવાન શ્રીરામ કહેવાય
સીતામાતાના સાથી અયોધ્યાથી થયા,ને લક્ષ્મણના ભાઇ પણએ થાય
....ગદાધારીને અજબ શક્તિશાળી થયા,જે શ્રીરામની કૃપાય મેળવી જાય.
સંસારી જીવન જીવતા શ્રીરામને,સમયની કેડીઅડી જે રાવણથી દેખાય
શ્રીરામની પત્નિ સીતાને ઉઠાવી ગયા,જે લંકાના રાજા રાવણ કહેવાય
મળી તકલીફ શ્રી રામને જ્યાં શક્તિશાળી,હનુમાનનો સાથ મળી જાય
અવનીપરથી ઉડયા આકાશમાં,જે સીતાજીને શોધી શ્રીરામને કહી જાય
....ગદાધારીને અજબ શક્તિશાળી થયા,જે શ્રીરામની કૃપાય મેળવી જાય.
પાવનકર્મની રાહથી રામભાઈ લક્ષ્મણને,સંજીવની લાવી બચાવી જાય
શક્તિશાળી રાજા રાવણને ના કોઇથી,તેના કર્મથી કદી રોકી શકાય
પરમકૃપામળી શ્રીરામની પવનપુત્રને,જે બજરંગબલી મહાવીર કહેવાય
પવિત્રશક્તિ મળી હનુમાનને,જે રાજારાવણસંગે લંકાનુ દહન કરીજાય 
....ગદાધારીને અજબ શક્તિશાળી થયા,જે શ્રીરામની કૃપાય મેળવી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

	
February 2nd 2021

શક્તિશાળી હનુમાન

###આજે મંગળવારને દિવસે કરીલો આ ઉપાય તમામ દુઃખો થઈ જશે દૂર, થશે ધનની વર્ષા.. - MT News Gujarati###

.         .શક્તિશાળી હનુમાન  

તાઃ૨/૨/૨૦૨૧                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

ભારતદેશમાં હિંદુધર્મને પવિત્રકરવા,પરમાત્મા અનેકદેહથી આવી જાય
મળેલ માનવદેહને સંબંધ ધર્મનો,જે શ્રધ્ધાએ જીવને મુક્તિ મળી જાય
....અજબ શક્તિશાળી દેહ લીધો,માતા અંજની સંગે પવનપુત્ર પણ કહેવાય.
જગતમાં પવનપુત્ર હનુમાનથી ઓળખાય,એ શ્રીરામના ભક્ત કહેવાય
ભક્તિની પવિત્રરાહે જીવતા,ગદા પકડીને પરમાત્માને મદદ કરતાજાય
જગતમાં શક્તિને નાકોઇ પકડીશકે,દેહપર પરમાત્મા કૃપાએ મેળવાય
પવિત્રકૃપા થઈ હનુમાનજી પર,જે સીતારામના જીવનમાં મદદકરીજાય
....અજબ શક્તિશાળી દેહ લીધો,માતા અંજની સંગે પવનપુત્ર પણ કહેવાય.
પાવનપ્રેમથી શ્રીરામને પ્રણામ કરી,તેમના જીવનમાં શક્તિ વાપરી જાય
રામના ભાઈ લક્ષ્મણ બેભાન થતા,સંજીવનીવટીને પર્વતથી લાવી જાય
જાગ્રુત કર્યા દેહથી જે અજબ શક્તિશાળી,હનુમાનની કૃપા જ કહેવાય
લંકાના રાજારાવણ સીતાને ઉઠાઈગયા,તોહનુમાનજી લંકાને બાળી જાય
....અજબ શક્તિશાળી દેહ લીધો,માતા અંજની સંગે પવનપુત્ર પણ કહેવાય.
*************************************************************
 



January 27th 2021

જય લક્ષ્મી માતા

***ઘર કે ઓફિસમાં માતા લક્ષ્મીના આવા ફોટો રાખશો તો થશે નુકસાન અને અટકી જશે તમારી પ્રગતિ – Gujarat Live***

.          .જય લક્ષ્મી માતા  

તાઃ૨૭/૧/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રદેહ લીધો ભારતની પવિત્રભુમી પર,માતાથી શાંંતિ આપી જાય
શ્રીલક્ષ્મીજીનો દેહ લીધો ભારતમા,જે શ્રીવિષ્ણુના પત્નીથી ઓળખાય
....એ માતાની પાવનકૃપા ભક્તોપર,જે ધનનીકૃપાથી દેહને સુખ આપી જાય.
ભારતની ભુમીમાં દેહ લીધો માતાથી,એ માનવદેહને પવિત્રરાહે દેખાય
શ્રધ્ધાભાવથી લક્ષ્મીમાતાની ભક્તિ કરતા,માતાની પાવનકૃપા પણ થાય
અવનીપરના આગમનમાં મળેલદેહને,હિંદુ ધર્મમાં પવિત્રભક્તિ મળીજાય
અનેક સ્વરૂપ લીધા પરમાત્માએ,જે પવિત્રપુંજનથી જગતમાં ઓળખાય
....એ માતાની પાવનકૃપા ભક્તોપર,જે ધનનીકૃપાથી દેહને સુખ આપી જાય.
પરમાત્માએ પવિત્રદેહ લીધો ભારતમાં,એ વિષ્ણુ ભગવાનથી આવી જાય
માતા લક્ષ્મીના એ જીવનસાથી થયા,જે અવનીપર શ્રી વિષ્ણુજી કહેવાય
દુનીયામાં ભારતદેશ જ પવિત્રદેશ છે,જ્યાં પરમાત્મા અનેકદેહ લઈ જાય
મળેલદેહના જીવનુ એનશીબ કહેવાય,જે પવિત્રધરતી પર જન્મ લઈ જાય
....એ માતાની પાવનકૃપા ભક્તોપર,જે ધનનીકૃપાથી દેહને સુખ આપી જાય.
#############################################################

January 25th 2021

પવિત્ર ભારતદેશ

દેશની શૌર્ય ગાથાને સલામી અર્પણ કરવાનો અવસર એટલે “સ્વાતંત્ર્યદિન પંદરમી ઓગષ્ટ” | Charotar Sandesh | Gujarati News

.           પવિત્ર ભારતદેશ
            (સ્વતંત્ર દીવસ)
તાઃ૨૬/૧/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં પવિત્રભુમી ભારત છે,જેનો આજે સ્વતંત્ર દીવસ ઉજવાય
પવિત્ર પરમાત્માએ દેહ લીધા,દુનીયામાં ભારતીયો પુંજન કરી જાય
.....એ પવિત્રભુમી ભારતમાં,પરમાત્માની કૃપાએ મને જન્મ મળી જાય
ભારતનો આજે સ્વતંત્ર દીવસ,જે જનગણમન દેશપ્રેમીઓથી ગવાય
દેશના ફ્લેગને સલામકરી દુનીયામાં,પહોચેલ ભારતીયોથી વંદનથાય
પવિત્રદેશમાં જન્મ લઈ ગુજરાતીઓ,જગતમાં મહેનત કરી જીવીજાય
નાકોઇ અપેક્ષા જીવનમાં રાખે,સત્કર્મથી મળેલદેહથી કર્મ કરી જાય 
.....એ પવિત્રભુમી ભારતમાં,પરમાત્માની કૃપાએ મને જન્મ મળી જાય.
પરમાત્માની કૃપા ભારતદેશપર,જ્યાં જન્મલઈ દુનીયામાં કર્મ કરીજાય
ગુજરાતીઓની ગાથા જગતમાં,જે કરેલ કર્મથી સન્માન મેળવી જાય
અમેરીકામાં માનવતાની મહેંક પ્રસરાવા,અનેકકર્મ કરીને જીવી જાય
હિંદુધર્મમાં પવિત્રદેવથી પ્રભુનીકૃપાએ,ભારતને દુનીયામાં પ્રસરાવીજાય 
.....એ પવિત્રભુમી ભારતમાં,પરમાત્માની કૃપાએ મને જન્મ મળી જાય.
ભારતની પવિત્રભુમીને જગતમાં પ્રસરાવી,જે ગુજરાતીઓથી થઈજાય
સ્વતંત્ર દીવસ એસન્માન દેશનુ,જે દુનીયામાં સમયે વંદન કરાવીજાય
અમરગાથા ગુજરાતીઓની દુનીયામાં,મળેલદેહના પવિત્રકર્મથી દેખાય
પાવનકૃપા પરમાત્માની થઈ,જે માનવદેહને સત્કર્મનીકેડી આપી જાય
.....એ પવિત્રભુમી ભારતમાં,પરમાત્માની કૃપાએ મને જન્મ મળી જાય.
********************************************************૮

	
January 13th 2021

પતંગ ચગાવો

બધી ગાઇડલાઇન માત્ર પ્રજાને જ લાગુ પડે?! – Khabar Gujarat

.          .પતંગ ચગાવો                 

તાઃ૧૩/૧/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્રપ્રસંગ આવી રહ્યો હ્યુસ્ટનમાં,જેમાં પતંગ ચગાવી ખુશ થાવ
પતંગનો આનંદ મળે ચગાવતા,જેને મકરશક્રાંંતિનો દિવસ કહેવાય
....પતંગ ચગાવીને પતંગ કાપો,જે કરવાથી મિત્રો સંગે અનંતપ્રેમ મેળવાય.
સમયની સાથે ચાલતા પ્રસંગોમાં,પરમાત્માનો પવિત્રપ્રેમ મળી જાય
ઉત્તરાયણનો આ પ્રેમાળ દીવસ,પતંગ ચગાવવાની તક આપી જાય
દોરી પકડી પતંગને આકાશમાં ઘુમાવી જાય,જે આનંદ આપી જાય
સરળતાથી ચગાવતા પતંગને,પંતંગોનો સાથ મળે ખુબ ખુશ થવાય
....પતંગ ચગાવીને પતંગ કાપો,જે કરવાથી મિત્રો સંગે અનંતપ્રેમ મેળવાય.
અનેક સારા પ્રસંગો ભારતમાં ઉજવાય,જે હવે પરદેશમાંય ઉજવાય
ભારતદેશમાંજ ધાર્મીક અને પ્રાસંગીકપ્રસંગો,સમયસર ઉજવાઈ જાય
આવી રહેલા દરેક પ્રસંગોએ પ્રેમીઓ મળે,જે પવિત્રસબંધ આપીજાય
ભુતકાળને તો ભુલીજવો જીવનમા,પણ આવતીકાલને પકડીને ચલાય
....પતંગ ચગાવીને પતંગ કાપો,જે કરવાથી મિત્રો સંગે અનંતપ્રેમ મેળવાય.
###########################################################



December 31st 2020

વિદાય સમયને

.2020નું વર્ષ કોરોનામાં બદબાદ, 2021ના વર્ષમાં આશાનો નવો સૂર્યોદય થશે

           . વિદાય સમયને

તાઃ૩૧/૧૨/૨૦૨૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ  

દેહ મળે એજ આગમન છે જીવનુ,જે ગતજન્મના કર્મથી મેળવાય
મળેલ માનવદેહને પાવનરાહ મળે,એ શ્રધ્ધાભક્તિથીજ મળી જાય
.....એ પરમાત્માની કૃપા છે,જે મળેલદેહને સમયની સમજણ આપી જાય.
મળેલ દેહને જન્મથી આગમન મળે,જેને ઉંમરથી સમય મળતો જાય
માનવદેહનેય સમય મળે,જે બાળપણ,જુવાની,ઘડપણથીજ મેળવાય
સમયની સાથે ચાલતા જીવનમાં,તકલીફથી ભગવાનજ બચાવી જાય
મળેલ શ્રધ્ધાપર ભરોસો રાખીને જીવતા,માનવદેહને કૃપા મળી જાય
.....એ પરમાત્માની કૃપા છે,જે મળેલદેહને સમયની સમજણ આપી જાય.
આવતીકાલને ના કોઇજ રોકી શકે,કે ના કોઇ વિદાયને પકડી જાય
સવારસાંજ એ કૃપા સુર્યદેવની જગતમાં,જે દેહને સમયે મળતી જાય
પાવનરાહે જીવન જીવવા માનવીને,નિર્મળરાહની કેડી પકડીને જીવાય
સમય એલીલા પ્રભુની,જે આવતીકાલ મળતાજ આજ ગઈકાલ કહેવાય
.....એ પરમાત્માની કૃપા છે,જે મળેલદેહને સમયની સમજણ આપી જાય.
#########################################################
December 29th 2020

સમય સંગે

.             .સમય સંગે
તાઃ૨૯/૧૨/૨૦૨૦           પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
પાવનકૃપા અવનીપર પ્રભુની,જે મળેલદેહને સમયથીજ સમજાય
ભુતકાળ એજીવને મળેલદેહના કર્મથી,ના આવતીકાલથી છટકાય
.....એ અજબકૃપા પરમાત્માની છે,જે ૨૦૨૧ના વર્ષનુ આગમન કરી જાય.
જીવનુ આગમન અવનીપર દેહથી,જે ગતજન્મના કર્મથી મેળવાય 
મળેલ માનવદેહ સમય સમજીને ચાલે,તો શાંંતિથી જીવન જીવાય
અપેક્ષાના વાદળ અવનીપર ફરે,એ માનવીને સુખદુઃખથી સમજાય
સમય સમજીને ચાલતા દેહો,હવે ૨૦૨૦ના વર્ષને વિદાય આપીજાય
.....એ અજબકૃપા પરમાત્માની છે,જે ૨૦૨૧ના વર્ષનુ આગમન કરી જાય.
સમયની પરમકૃપા છે જગતમાં,જે દેહ મળતા જીવને સમજાઈ જાય
કર્મએ સંબંધ છે મળેલ દેહને,એ જન્મોજન્મથી આગમનવિદાય થાય
અનેકદેહ લઈ કૃપા કરી ભારતદેશથી,જે પરમાત્માનીજ કૃપા કહેવાય
આવી અવનીપર પ્રેરણા કરી,જે હરિભક્તોથીજ મંદીરમાં પુંજન કરાય
.....એ અજબકૃપા પરમાત્માની છે,જે ૨૦૨૧ના વર્ષનુ આગમન કરી જાય.
ઉંમરનો સંબંધ સમયથી મળે,જે મળેલદેહને બાળપણથી જુવાની આપે
જુવાનીમાં ભણતરનો સંગાથ લેતા,લાયકાતમળે સમયે ઘડપણ મેળવાય
મળેલદેહમાં પ્રાણી,પશુ,પક્ષી નિરાધાર,નોકોઇ જાતની સમજ પડી જાય
મન,કર્મ,વચનનો સંબંધદેહને,પ્રભુને પ્રાર્થનાકે ૨૦૨૧માં સદમાર્ગે લઈજાય
.....એ અજબકૃપા પરમાત્માની છે,જે ૨૦૨૧ના વર્ષનુ આગમન કરી જાય.
#########################################################
December 1st 2020

સાહિત્ય સરીતા

.GSS Logo

            સાહિત્ય સરીતા
તાઃ૧/૧૨/૨૦૨૦              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પાવનકૃપા મળી માતા સરસ્વતીની,જે હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓથી દેખાય
પવિત્રપ્રેમની રાહ પકડીને ચાલતા,આજકાલમાં ના અભિમાન કદી દેવાય
.....એવા પ્રેમાળ હ્યુસ્ટનના કલમપ્રેમીઓ,સાહિત્યસરીતાને જગતમાં વહેવડાવી જાય.
સમયસંગે કલમપકડીને ચાલતા,માતાની અનંતકૃપા જે પ્રેરણા આપી જાય
શ્રધ્ધા રાખતા પ્રેરણામળે જીવને,જે સમયસંગે કલમથી રચનાઓ કરીજાય
અમેરીકાની ધરતીપર ગુજરાતી ભાષા લઈ,ગુજરાતીઓ હ્યુસ્ટનમાં આવ્યા
દુનીયાંમાં સાહિત્યની સરીતા વહેતી કરી,જે વાંચકોને આનંદ આપી જાય
.....એવા પ્રેમાળ હ્યુસ્ટનના કલમપ્રેમીઓ,સાહિત્યસરીતાને જગતમાં વહેવડાવી જાય.
ઉજવળ રાહ મળી કલમની પ્રેમીઓને,જે માતાની પવિત્રકૃપાથીજ મેળવાય
મળેલદેહની માનવતા પ્રસરે હ્યુસ્ટનમાં,જે સમયસંગે મીટીંગમાં મિલન થાય
અદભુત આનંદની ક્રૂપા મળી,જે પવિત્ર લેખનના વાંચનથી સૌને મળી જાય
એજ અનંતપ્રેમ માતાનો,જે ગુજરાતી સાહિત્ય સરીતાથી આનંદે આપી જાય
.....એવા પ્રેમાળ હ્યુસ્ટનના કલમપ્રેમીઓ,સાહિત્યસરીતાને જગતમાં વહેવડાવી જાય.
*****************************************************************
      ગુજરાતી કલમપ્રેમીઓની સરીતાને માતા સરસ્વતીની કૃપાએ ગુજરાતીઓ
હ્યુસ્ટ્નમાં લઈ આવ્યા જે પકડેલ કલમથી પ્રેરણાદાયી લેખોથી આનંદ આપી જાય
અને માતાની કૃપાએ દર મહિને સાહિત્ય સરીતાને વહેવડાવવા મીટીંગ કરે છે જે
મને ખુબજ આનંદ આપી જાય.
    લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ સહિત કલમપ્રેમીઓને માતાની પ્રેરણા મળે તેજ ઇચ્છા 
સહિત જય જલારામ
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
  
 

 

« Previous PageNext Page »