February 2nd 2021

શક્તિશાળી હનુમાન

###આજે મંગળવારને દિવસે કરીલો આ ઉપાય તમામ દુઃખો થઈ જશે દૂર, થશે ધનની વર્ષા.. - MT News Gujarati###

.         .શક્તિશાળી હનુમાન  

તાઃ૨/૨/૨૦૨૧                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

ભારતદેશમાં હિંદુધર્મને પવિત્રકરવા,પરમાત્મા અનેકદેહથી આવી જાય
મળેલ માનવદેહને સંબંધ ધર્મનો,જે શ્રધ્ધાએ જીવને મુક્તિ મળી જાય
....અજબ શક્તિશાળી દેહ લીધો,માતા અંજની સંગે પવનપુત્ર પણ કહેવાય.
જગતમાં પવનપુત્ર હનુમાનથી ઓળખાય,એ શ્રીરામના ભક્ત કહેવાય
ભક્તિની પવિત્રરાહે જીવતા,ગદા પકડીને પરમાત્માને મદદ કરતાજાય
જગતમાં શક્તિને નાકોઇ પકડીશકે,દેહપર પરમાત્મા કૃપાએ મેળવાય
પવિત્રકૃપા થઈ હનુમાનજી પર,જે સીતારામના જીવનમાં મદદકરીજાય
....અજબ શક્તિશાળી દેહ લીધો,માતા અંજની સંગે પવનપુત્ર પણ કહેવાય.
પાવનપ્રેમથી શ્રીરામને પ્રણામ કરી,તેમના જીવનમાં શક્તિ વાપરી જાય
રામના ભાઈ લક્ષ્મણ બેભાન થતા,સંજીવનીવટીને પર્વતથી લાવી જાય
જાગ્રુત કર્યા દેહથી જે અજબ શક્તિશાળી,હનુમાનની કૃપા જ કહેવાય
લંકાના રાજારાવણ સીતાને ઉઠાઈગયા,તોહનુમાનજી લંકાને બાળી જાય
....અજબ શક્તિશાળી દેહ લીધો,માતા અંજની સંગે પવનપુત્ર પણ કહેવાય.
*************************************************************
 



No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment