February 5th 2021
.જય સંતોષી માતા
તાઃ૫/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનપ્રેમ મળે માતા સંતોષીનો,જે પવિત્રદીવસે વંદન કરાય
જય સંતોષી માતાના સ્મરણથી,જીવ પર પરમકૃપા થઈ જાય
....એ માતાનો પ્રેમ શ્રધ્ધાભક્તિથી મળે,જે દેહને આનંદ આપી જાય.
અનંતકૃપાળુ માતા ભારતમાં,જે શ્રધ્ધાથી ભક્તિએજ સમજાય
પાવનરાહ મળે દેહને જીવનમાં,એ માતાની કૃપાએ મિળવાય
પવિત્ર સ્વરૂપજ માતાનુ અવનીપર,જે માતા સંતોષી કહેવાય
માતાનો પવિત્રપ્રેમ મળે દેહને,જે જીવને અંતે મુક્તિ દઈ જાય
....એ માતાનો પ્રેમ શ્રધ્ધાભક્તિથી મળે,જે દેહને આનંદ આપી જાય.
મળેલ માનવદેહને સંબંધ થયેલકર્મનો,એ જન્મમરણથી સમજાય
અનેકદેહ અવનીપર મળે જીવને,માનવદેહ પ્રભુકૃપાએ મેળવાય
અનેકદેહથી પધાર્યા પરમાત્મા,ભારતનેએ પવિત્રભુમી કરી જાય
પવિત્રદેહ માતાના લીધા,સંગે ભગવાનના દેહથી પણઆવીજાય
....એ માતાનો પ્રેમ શ્રધ્ધાભક્તિથી મળે,જે દેહને આનંદ આપી જાય.
*******************************************************