February 8th 2021

ભોલેનાથ ભંડારી

Image result for ભોલેનાથ ભંડારી

.          ભોલેનાથ ભંડારી  

તાઃ૮/૨/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપાળુ દેહ લીધો અવનીપર,જે ભારતમાં ભોલેનાથથી ઓળખાય
સોમવારની સવારે શ્રધ્ધાથી વંદનકરી,ભોલેનાથ મહાદેવનુ પુંજન કરાય
....મળે કૃપા શ્રીભોલેનાથ ભંડારીની,જે પવિત્રદેવ શંકર ભગવાન પણ કહેવાય.
માયા મોહનો સંબંધ મળેલ દેહને,જે જીવને આવનજાવન આપી જાય
અવનીપર જીવને દેહ મળે,એ ગતજન્મના થયેલ કર્મથીજ મળતો થાય
પવિત્રદેહ પરમાત્માનો ભારતમાં,જે સમય સંગે માનવદેહથી આવી જાય
ધર્મની પવિત્રરાહને પારખી જીવતા,પવિત્રકૃપાએ અનંતશાંંતિ મળી જાય 
....મળે કૃપા શ્રીભોલેનાથ ભંડારીની,જે પવિત્રદેવ શંકર ભગવાન પણ કહેવાય.
અનેકદેવના નામથી પુંજન થાય,એ શંકર,મહાદેવ,ભોલેનાથથી ઓળખાય
પત્નિ પાર્વતી સંતાન શ્રી ગણેશ,કાર્તિક અને દીકરી અશોકસુંદરી કહેવાય
અનંત કૃપાળુ પરમાત્મા છે,જે શ્રધ્ધા રાખીને ભક્તિકરતાં દેહને મળી જાય
પવિત્ર દીવસની જ્યોત મળે દેહને,જ્યાં શીવલીંગ પર દુધની અર્ચના કરાય
....મળે કૃપા શ્રીભોલેનાથ ભંડારીની,જે પવિત્રદેવ શંકર ભગવાન પણ કહેવાય.
##############################################################



   
February 8th 2021

કૈલાસવાસી

Image result for કૈલાશ વાસી

.             કૈલાસ વાસી

તાઃ૮/૨/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભારતની ભુમીને જગતમાં પવિત્રકરવા,પરમાત્મા અનેકદેહ લઈ જાય
પવિત્રદેહ લીધો શંકર ભગવાનથી,જે કૈલાસવાસી ભોલેનાથ કહેવાય
.....એજ કૃપા પારમાત્માની થાય,જ્યાં બમબમભોલે મહાદેવથી વંદન કરાય.
જીવને માનવદેહ મળે અવનીપર,જે ગતજન્મે કરેલ કર્મથીજ મેળવાય
શ્રધ્ધાભાવનાથી ભક્તિ કરતા દેહપર,પરમાત્માની પવિત્રકૃપા થઈજાય
શંકર ભગવાનના દેહથી પધાર્યા,સંગે હિમાલયની પુત્રીજ પત્નિ થાય
એ પાવનકૃપા ભારતપર,જે પવિત્ર માતા પાર્વતીના પતિદેવ થઈજાય
.....એજ કૃપા પારમાત્માની થાય,જ્યાં બમબમભોલે મહાદેવથી વંદન કરાય.
પવિત્ર ગંગાજળ ભારતમાં વહેવડાવી,જેની અર્ચનાથી દેહનીમુક્તિથાય
ભોલેનાથની પાવનકૃપાએ ગંગાનદીને વહાવી,એજ તેમનો પ્રેમકહેવાય
સંસારનૉ સંગાથ લીધો,જે ગણેશ,કાર્તીક ને અશોકસુંદરી સંતાન થાય
પવિત્રસંતાન થયા શ્રીગણેશ,જગતમાં એ ભાગ્ય વિધાતાથી ઓળખાય
.....એજ કૃપા પારમાત્માની થાય,જ્યાં બમબમભોલે મહાદેવથી વંદન કરાય.
*************************************************************