February 18th 2021

નિર્મળ ભક્તિ ભાવના

**Image result for જલારામ**

.          નિર્મળ ભક્તિ ભાવના

તાઃ૧૮/૨/૨૦૨૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળેલદેહને પાવનરાહ મળી જીવનમાં,જે પવિત્ર ભક્તિરાહ બતાવી જાય
શ્રધ્ધા ભાવનાથી પાવનકર્મ કરતા,વિરપુરના જલારામ સંતથી ઓળખાય
...વિરબાઈના એ પતિ કહેવાય,જે પવિત્રભાવનાથી નિરાધારને અન્નદાન કરી જાય.
નિર્મળ ભક્તિ ભાવનાને પકડી ચાલતા,મળેલ દેહ પર પ્રભુની કૃપા થાય
પવિત્રકર્મથી દેહને પાવનરાહ મળી,જે જીવનમાં પરમાત્મને વંદન કરીજાય
અવનીપરના આગમનને સાચવીને જીવતા,મળેલ દેહનુ કલ્યાણ થઈ જાય
એજ પાવનરાહ મળેલદેહની કહેવાય,જે જગતમાં હિંદુધર્મમાં સંત કહેવાય 
...વિરબાઈના એ પતિ કહેવાય,જે પવિત્રભાવનાથી નિરાધારને અન્નદાન કરી જાય.
ધર્મકર્મને સાચવી મળેલ દેહથી,સમયને સાચવી ચાલતા પવિત્રકર્મ કરીજાય
ના કોઈ અપેક્ષા જીવનમાં રાખી,કે ના કદી મોહમાયા જીવનમાં મેળવાય
કુદરતની પાવનકૃપા મળતા જીવને,મળેલદેહને નિખાલસભાવના મળી જાય
ભક્તિમાં પવિત્ર શ્રધ્ધા રાખીને કર્મ કરે,જે દેહથી અન્નદાનની રાહથીદેખાય
...વિરબાઈના એ પતિ કહેવાય,જે પવિત્રભાવનાથી નિરાધારને અન્નદાન કરી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
February 18th 2021

શ્રી સાંઇ બાબા

***Image result for સાંઇબાબા***
.           .શ્રી સાંઇબાબા

તાઃ૧૮/૨/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

શેરડીવાસી વ્હાલા સાંઈબાબા,ૐ શ્રી સાંઇનાથાય નમઃ થીજ પુંજાય
શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા,દેહ પર બાબાની પાવનકૃપાજ થઈ જાય
...એજ અનંતકૃપાળુ બાબા છે,જે શેરડીથી પવિત્ર ભક્તિને પારખી આવી જાય.
માનવદેહને પવિત્રરાહ આપવા,શંકર ભગવાનની કૃપાએ દેહલઈ જાય
જીવને જન્મ મળતા દેહને ધર્મ મળે,જેને હિંદુ મુસ્લીમ એમ કહેવાય
ભારતમાં હિંદુધર્મમાં પવિત્રદેહ લીધા,મુસ્લીમમાં અલ્લાથી ઓળખાય
સાંઇબાબા આવ્યા અવનીપર,જે શ્રધ્ધા સબુરીથી પુંજન કરાવી જાય
...એજ અનંતકૃપાળુ બાબા છે,જે શેરડીથી પવિત્ર ભક્તિને પારખી આવી જાય.
દેહમળ્યા પછી ધર્મનો સંબંધછે દેહને,જે મળેલદેહ પર કૃપા કરી જાય
હિંદુધર્મમાં પરમાત્માકૃપાએ અનેકદેહલીધા,મુસ્લીમમાં અલ્લાહ કહેવાય
શ્રધ્ધાસબુરીની ઓળખાણ કરાવવા,શેરડીમાં સાંઇબાબાથી આવીજાય
પાવનકૃપા મળે બાબાની ભક્તોને,જે મળેલદેહને પવિત્રકર્મ કરાવીજાય
...એજ અનંતકૃપાળુ બાબા છે,જે શેરડીથી પવિત્ર ભક્તિને પારખી આવી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++