નિર્મળ ભક્તિ ભાવના
****
. નિર્મળ ભક્તિ ભાવના તાઃ૧૮/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ મળેલદેહને પાવનરાહ મળી જીવનમાં,જે પવિત્ર ભક્તિરાહ બતાવી જાય શ્રધ્ધા ભાવનાથી પાવનકર્મ કરતા,વિરપુરના જલારામ સંતથી ઓળખાય ...વિરબાઈના એ પતિ કહેવાય,જે પવિત્રભાવનાથી નિરાધારને અન્નદાન કરી જાય. નિર્મળ ભક્તિ ભાવનાને પકડી ચાલતા,મળેલ દેહ પર પ્રભુની કૃપા થાય પવિત્રકર્મથી દેહને પાવનરાહ મળી,જે જીવનમાં પરમાત્મને વંદન કરીજાય અવનીપરના આગમનને સાચવીને જીવતા,મળેલ દેહનુ કલ્યાણ થઈ જાય એજ પાવનરાહ મળેલદેહની કહેવાય,જે જગતમાં હિંદુધર્મમાં સંત કહેવાય ...વિરબાઈના એ પતિ કહેવાય,જે પવિત્રભાવનાથી નિરાધારને અન્નદાન કરી જાય. ધર્મકર્મને સાચવી મળેલ દેહથી,સમયને સાચવી ચાલતા પવિત્રકર્મ કરીજાય ના કોઈ અપેક્ષા જીવનમાં રાખી,કે ના કદી મોહમાયા જીવનમાં મેળવાય કુદરતની પાવનકૃપા મળતા જીવને,મળેલદેહને નિખાલસભાવના મળી જાય ભક્તિમાં પવિત્ર શ્રધ્ધા રાખીને કર્મ કરે,જે દેહથી અન્નદાનની રાહથીદેખાય ...વિરબાઈના એ પતિ કહેવાય,જે પવિત્રભાવનાથી નિરાધારને અન્નદાન કરી જાય. +++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++