February 13th 2021

જ્યોત જીવની

Image result for જ્યોત જીવની

.           જ્યોત જીવની

તાઃ૧૩/૨/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,જે જીવપર પરમાત્માની કૃપા કહેવાય
થયેલ કર્મનોસંબંધ જીવને અવનીપર,અનેકદેહને આગમનવિદાય આપી જાય
.....પવિત્રકર્મની રાહ પકડીને જીવતા,થયેલકર્મ મળેલદેહથી જ્યોત જીવની પ્રગટી જાય.
માનવદેહ એ કૃપા પરમાત્માની જીવપર,જે પ્રાણી પશુ જાનવરથી છોડી જાય
નિખાલસ ભાવનાથી જીવતા મળેલદેહને,જીવનમાં નિર્મળભાવથી ભક્તિ થાય
પાવનરાહ મળે જીવનમાં નાકોઈ અપેક્ષાઅડે,ના મોહમાયાનો સ્પર્શ થઈ જાય
પરમાત્માની કૃપા મળે જીવનમાં,જે મળેલદેહના જીવની જ્યોત પ્રગટાવી જાય
.....પવિત્રકર્મની રાહ પકડીને જીવતા,થયેલકર્મ મળેલદેહથી જ્યોત જીવની પ્રગટી જાય.
શ્રધ્ધા ભાવથી ભક્તિ કરતા જીવનમાં,પરમાત્માની કૃપાનો અનુભવ થઈ જાય
જીવને પવિત્રકૃપાનો અનુભવ થાય દેહથી,જે પવિત્રભક્તિનો માર્ગ આપી જાય
કુદરતની અજબલીલા અવનીપર,જે દેહને સતયુગ અને કળીયુગથી અનુભવાય 
પાવનપ્રેમ મળે દેહને થયેલ કર્મથી,ને પવિત્રકૃપા મળે જ્યાં શ્રધ્ધાએ પુંજા થાય
.....પવિત્રકર્મની રાહ પકડીને જીવતા,થયેલકર્મ મળેલદેહથી જ્યોત જીવની પ્રગટી જાય.
####################################################################