પવિત્ર પ્રેમનીરાહ
######
. .પવિત્ર પ્રેમનીરાહ તાઃ૧૯/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ ભક્તિ સાગરમાં પ્રેમથી રહેતા,પાવનરાહ મળે જીવને જે શાંંતિ આપી જાય મળેલદેહને પાવનકૃપા મળે જીવનમાં,જે દેહને પવિત્ર પ્રેમનીરાહ આપી જાય ....પવિત્ર ભાવનાથી ભક્તિ કરતા,મળેલદેહને પરમાત્માની અનંતક્ર્પા પ્રેમથી મળી જાય. કર્મનીકેડી એ દેહનો સંબંધ જીવનમા,જે અવનીપરના આગમનથી સમજાય માનવદેહ મળે જીવને જગતમાં,એ પરમાત્માની પાવનકૃપા થતા મળી જાય જીવને અવનીપરનુ આગમન મળે,જે પ્રાણી પશુ સંગે માનવદેહથી મેળવાય કુદરતની આઅજબલીલા ધરતીપર,મળેલદેહને અનેકકર્મનો સંબંધ આપીજાય ....પવિત્ર ભાવનાથી ભક્તિ કરતા,મળેલદેહને પરમાત્માની અનંતક્ર્પા પ્રેમથી મળી જાય. પરમાત્માએ અનેકદેહ લીધા ભારતમાં,જે હિંદુ ધર્મને પવિત્રરાહથી દોરી જાય શ્રધ્ધાભાવનાથી પુંજન કરતા જીવનમાં,પાવનકૃપા જે દેહને સુખ આપી જાય મળેલદેહને ના કોઇ તકલીફ મળે,કે જીવનમા કોઇ આશાઅપેક્ષા અડી જાય એજ પવિત્ર પ્રેમનીરાહ મળેલદેહપર,જીવનમાં અનેકરાહે સુખપ્રેમથી મેળવાય ....પવિત્ર ભાવનાથી ભક્તિ કરતા,મળેલદેહને પરમાત્માની અનંતક્ર્પા પ્રેમથી મળી જાય. ====================================================================