February 1st 2021

ભજનથી ભક્તિ

જૂનાગઢઃ ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ મહાદેવના પાવન સાંનિધ્યમાં મહાશિવરાત્રીનો મહાપર્વ

.        . ભજનથી ભક્તિ

તાઃ૧/૨/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પાવનકર્મની રાહ મળે દેહને,જે જીવને જન્મમરણથી છોડી જાય
પરમાત્માની પાવનકૃપા મળે,જ્યાં શ્રધ્ધાએ ભજનથી ભક્તિ થાય
.....જન્મ મળે જગતમાં અનેકદેહથી,એ ગતજન્મના કર્મથી મેળવાય.
પવિત્રધર્મ હિંદુછે જગતમાં,જે પરમાત્મા અનેકદેહથી આવી જાય
ભારતની ભુમીને પવિત્ર કરી,જ્યાં માનવદેહથી પાવન કર્મ કરાય
સમયની સાથે ચાલતા દેહને,ભણતર સંગે માનસન્માન મળીજાય
અવનીપરના આગમનને સમજી ચાલતા જ,શ્રધ્ધાથી ભક્તિ કરાય
.....જન્મ મળે જગતમાં અનેકદેહથી,એ ગતજન્મના કર્મથી મેળવાય.
બાળપણ,જુવાની,ઘડપણ,એ સંબંધદેહનો જે જન્મમરણથી દેખાય
પાવન ભાવનાથી ભક્તિ કરતા,જીવનમાં ના મોહમાયા અડી જાય
મળેલ માનવદેહને પવિત્રકૃપા મળે,જે સત્કર્મનો સંગાથ આપી જાય
નિર્મળભાવથી જીવન જીવતા,જીવને જન્મમરણ્થી મુક્તિ મળી જાય
.....જન્મ મળે જગતમાં અનેકદેહથી,એ ગતજન્મના કર્મથી મેળવાય.
=======================================================