December 29th 2020
. .સમય સંગે
તાઃ૨૯/૧૨/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનકૃપા અવનીપર પ્રભુની,જે મળેલદેહને સમયથીજ સમજાય
ભુતકાળ એજીવને મળેલદેહના કર્મથી,ના આવતીકાલથી છટકાય
.....એ અજબકૃપા પરમાત્માની છે,જે ૨૦૨૧ના વર્ષનુ આગમન કરી જાય.
જીવનુ આગમન અવનીપર દેહથી,જે ગતજન્મના કર્મથી મેળવાય
મળેલ માનવદેહ સમય સમજીને ચાલે,તો શાંંતિથી જીવન જીવાય
અપેક્ષાના વાદળ અવનીપર ફરે,એ માનવીને સુખદુઃખથી સમજાય
સમય સમજીને ચાલતા દેહો,હવે ૨૦૨૦ના વર્ષને વિદાય આપીજાય
.....એ અજબકૃપા પરમાત્માની છે,જે ૨૦૨૧ના વર્ષનુ આગમન કરી જાય.
સમયની પરમકૃપા છે જગતમાં,જે દેહ મળતા જીવને સમજાઈ જાય
કર્મએ સંબંધ છે મળેલ દેહને,એ જન્મોજન્મથી આગમનવિદાય થાય
અનેકદેહ લઈ કૃપા કરી ભારતદેશથી,જે પરમાત્માનીજ કૃપા કહેવાય
આવી અવનીપર પ્રેરણા કરી,જે હરિભક્તોથીજ મંદીરમાં પુંજન કરાય
.....એ અજબકૃપા પરમાત્માની છે,જે ૨૦૨૧ના વર્ષનુ આગમન કરી જાય.
ઉંમરનો સંબંધ સમયથી મળે,જે મળેલદેહને બાળપણથી જુવાની આપે
જુવાનીમાં ભણતરનો સંગાથ લેતા,લાયકાતમળે સમયે ઘડપણ મેળવાય
મળેલદેહમાં પ્રાણી,પશુ,પક્ષી નિરાધાર,નોકોઇ જાતની સમજ પડી જાય
મન,કર્મ,વચનનો સંબંધદેહને,પ્રભુને પ્રાર્થનાકે ૨૦૨૧માં સદમાર્ગે લઈજાય
.....એ અજબકૃપા પરમાત્માની છે,જે ૨૦૨૧ના વર્ષનુ આગમન કરી જાય.
#########################################################
No comments yet.