December 11th 2020

સરસ્વતી માતાજી

..          સરસ્વતી માતાજી 
તાઃ૧૧/૧૨/૨૦૨૦              પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનકૃપા મળે મળેલ દેહને જીવનમાં,જે નિર્મળભાવનાએ કર્મ કરાવી જાય
માનવદેહને કર્મનોસંબંધ અડે સમયથી,આ કુદરતનીલીલા સ્પર્શથીજ સમજાય
....જીવને મળેલદેહને સમજણનો સંગાથ મળે,જે માતા સરસ્વતીની નિર્મળકૃપા કહેવાય.
મળેલદેહને સમયનો સંગાથ રહે,જે અવનીપર મળેલદેહની ઉંમરએ કહેવાય
કુદરતની કૃપાએ પાવનરાહ મળે ભણતરથી,એ માબાપનોપ્રેમ અપાવી જાય
કલમની કેડી મળે દેહને જ્યાં શ્રધ્ધા ભાવથી,કલમપ્રેમી માતાને વંદન કરાય
પરમકૃપાળુ અને દયાળુછે માતા,જેમની કૃપાએ મારાથી કલમ પકડાઇ જાય
....જીવને મળેલદેહને સમજણનો સંગાથમળે,જે માતા સરસ્વતીની નીર્મળકૃપા કહેવાય.
અવનીપર કલમની કૃપા માતા સરસ્વતીની,એ કલમપ્રેમીઓના પ્રેમથી દેખાય
કલમની પવિત્રરાહ છે હ્યુસ્ટનના કલમપ્રેમીઓની,જે માતાનોપ્રેમ બતાવી જાય
અનંતપ્રેમ બતાવે કલમથી એ કલમનીરાહને જોતા,સમજણથી શાંંતિ મેળવાય
માતા સરસ્વતીની પાવનકૃપા,હ્યુસ્ટનના કલમપ્રેમીઓ પર જે કલમથી સમજાય
....જીવને મળેલદેહને સમજણનો સંગાથમળે,જે માતા સરસ્વતીની નિર્મળકૃપા કહેવાય.
*********************************************************************