December 7th 2020

હરહર ભોલે

        ભોલેનાથ-hashtag på Twitter
.             .હરહર ભોલે

તાઃ૭/૧૨/૨૦૨૦               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

હરહર ભોલે મહાદેવ સંગે,શ્રધ્ધાએ ૐ નમઃ શિવાય પણ બોલાય
માતાપાર્વતીના એ જીવનસાથી,જગતમાં માતા પાર્વતીપતિ કહેવાય
....એ પવિત્રદેહ પરમાત્માએ લીધો ભારતમાં,જે શંકર ભગવાનથી ઓળખાય
હિમાલયનો સાથ મળ્યો જીવનમાં,જ્યાં પાર્વતી જીવનસંગીની થાય
અજબ શક્તિશાળી છે શ્રીભોલેનાથ,જે પવિત્ર ગંગાને વહાવી જાય
જન્મમરણનો સંબંધ જીવને,જે મળેલ દેહને સંબંધથી સમજાઈ જાય
હરહર મહાદેવ સંગે શીવલીંગપર,શ્રધ્ધાભક્તિથી દુધની અર્ચના થાય
....એ પવિત્રદેહ પરમાત્માએ લીધો ભારતમાં,જે શંકર ભગવાનથી ઓળખાય
ગજાનંદ ગણેશની ઓળખાણ થઈ,જે માતાપાર્વતીના સંતાન કહેવાય
મળેલ આશિર્વાદ ગણેશજીનો દેહને,એ જીવનમાં પાવનકર્મથી દેખાય
શ્રી શિવજીના બીજા સંતાન હતા,જેને જગતપર કાર્તિકભાઈ કહેવાય
પવિત્રકુળને આગળ લેતા,માતા પાર્વતીની અશોકસુંદરી દીકરી થાય
....એ પવિત્રદેહ પરમાત્માએ લીધો ભારતમાં,જે શંકર ભગવાનથી ઓળખાય
શ્રધ્ધાભક્તિની પવિત્રરાહ મળે દેહને,જ્યાં શ્રી ભોલેનાથની કૃપા થાય
માનવદેહ એ ગતજન્મે થયેલ કર્મનો સંબંધ,જે દેહ મળતા જ દેખાય
પવિત્ર ગંગા નદીને વહાવવા,ભગવાન શિવનો દેહ લઈને આવી જાય
જગતમાં પવિત્રભુમી ભારતનેકરવા,પરમાત્મા અનેકદેહે દર્શનઆપીજાય
....એ પવિત્રદેહ પરમાત્માએ લીધો ભારતમાં,જે શંકર ભગવાનથી ઓળખાય
************************************************************