December 10th 2020

પ્રેમ લઇ આવજો

***આના શ્રાપ ના કારણે માતા સીતા અલગ થઇ ગયા હતા પ્રભુ શ્રી રામ થી, નહિ જાણતા હોવ આ કહાનીઓ | Mojilo Gujarati.

.            પ્રેમ લઈ આવજો 
તાઃ૧૦/૧૨/૨૦૨૦               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
અવનીપર મળેલ માનવદેહને,જીવનમાં પ્રભુકૃપાએ પાવનરાહ મેળવાય
જીવને સંબંધ છે કર્મનો દેહથી,ત્યાં ગત જન્મે કરેલકર્મના બંધન થાય
.....એ પાવનકૃપા મળે પરમાત્માની ,જ્યાં શ્રધ્ધાભાવનાએ દેહથી ભક્તિ થાય.
નિર્મળભાવના રાખતા જીવનમાં,કદી કોઇ ખોટી રાહને જીવથી પકડાય
પરમપ્રેમથી પાવનરાહ મળે સંસારમાં,જે મળેલ દેહને શાંંતિ આપી જાય
મળેલદેહને પવિત્રકર્મની કેડીએ જવા,નિખાલસ પ્રેમ લઈ વ્હેલા આવજો
પરમાત્માની કૃપા મળે દેહને અવનીપર,જે સત્કર્મની પાવનરાહે લઈ જાય
.....એ પાવનકૃપા મળે પરમાત્માની ,જ્યાં શ્રધ્ધાભાવનાએ દેહથી ભક્તિ થાય.
પવિત્રશક્તિશાળી દેહ લઈ દુનીયામાં આવ્યા,જે અનેકનામથી ઓળ્ખાય
ભારતની ભુમીને પવિત્ર કરી ગયા,જે હિંદુધર્મમાં અનેકનામથી મળી જાય
શ્રધ્ધાભાવથી ભક્તિકરતા જીવનમાં,પવિત્રપ્રેમ જીવને અનંતકૃપા આપીજાય
નિર્મળ ભાવનાથી જીવન જીવતા,જીવનમાં પવિત્રપ્રેમની ગંગા વહેતી જાય
.....એ પાવનકૃપા મળે પરમાત્માની ,જ્યાં શ્રધ્ધાભાવનાએ દેહથી ભક્તિ થાય.
==============================================================