December 24th 2020

સાંઇબાબા

###Shri Saibaba Sansthan Trust, Shirdi(Offical Booking Portal)###

.           .સાંઇબાબા      
તાઃ૨૪/૧૨/૨૦૨૦          પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમકૃપાળુ સાંઈબાબા જગતમાં,ભક્તોને પાવનરાહ આપી જાય
સુખસાગરની રાહ મળે જીવનમાં,અનંત શાંંતિની કૃપા થઈ જાય
.....એવા વ્હાલા સાંઇબાબા,શ્રધ્ધાસબુરીથી માનવદેહને આનંદ આપી જાય.
ધર્મકર્મનો સંબંધ મળેલ માનવ દેહને,જે સમય સમયે સમજાઈ જાય
મળેલ માનવદેહને શ્રધ્ધાસબુરીથી,મળેલજન્મને પહેચાન આપી જાય
નાહિંદુ નામુસ્લીમ ધર્મનીઅલગતા,કુદરતની કૃપાએજ દેહ મળી જાય
માનવજીવનમાં બાબાના આશિર્વાદ મળે,જે પાવનકર્મથી અનુભવાય
.....એવા વ્હાલા સાંઇબાબા,શ્રધ્ધાસબુરીથી માનવદેહને આનંદ આપી જાય.
ભારતની ભુમીપર ભોલેનાથની કૃપાએ,દેહ લઈ શેરડીમાં આવી જાય 
દ્વારકામાઈના સાથથી શેરડીથી,પવિત્રધર્મની ઓળખાણ આપી જાય
શ્રધ્ધા અને સબુરીની સમજણ પડતા,હિંદુમુસ્લીમને સંબંધ થઇ જાય
એ કૃપા સંત સાંઈબાબાની,જે નિર્મળભાવના સંગે શાંંતિ આપી ગઈ
.....એવા વ્હાલા સાંઇબાબા,શ્રધ્ધાસબુરીથી માનવદેહને આનંદ આપી જાય.
*************************************************************