December 13th 2020

માતા દુર્ગા

##નવરાત્રી: માતાજીના નવ સ્વરૂપો, નવ ચક્રો, નવ ગ્રહો અને નવ વિકારોનું વિજ્ઞાન | Ravi-Purti-Columnists-29-September-2019-Bhaven-Kachhi-Horizon | Gujarati News - News in Gujarati - Gujarati ...##
.            માતા દુર્ગા     
તાઃ૧૩/૧૨/૨૦૨૦          પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમકૃપાળુ માતા છે ભારતદેશમાં,જે જગતમાં માતા દુર્ગાથી ઓળખાય
પવિત્રપ્રેમ મળે માતાનો જીવનમાં,એ માનવદેહને પાવનકર્મ કાઅવી જાય
....એ અજબશક્તિ માતાની ભક્તોપર,શ્રધ્ધાથી પુંજન કરતા નવદુર્ગાથીય ઓળખાય.
પાવનરાહે જીવન જીવતા દેહને ભક્તિથી,શક્તિશાળી માતાની કૃપા થાય
નાકોઇની તાકાત છે અવનીપર,કે નાકોઇ કળીયુગની કાતરથી બચી જાય
સમય સમજીને ચાલવા જીવનમાં,પવિત્ર દુર્ગામાતાની પરમકૃપા મળી જાય
ૐ હ્રીંમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાના સ્મરણથી,દેહને પાવનરાહ આપી જાય
....એ અજબશક્તિ માતાની ભક્તોપર,શ્રધ્ધાથી પુંજન કરતા નવદુર્ગાથીય ઓળખાય.
સુખશાંંતિનો સાથમળે જીવનમાં,એ મળેલદેહ પર માતાની પાવનકૃપા થાય
ભક્તિ માર્ગની પવિત્રરાહને પકડી ચાલતા,જીવને નિર્મળ પ્રેમથી અનુભવાય
હિંદુધર્મના નવરાત્રીના તહેવારમાં,ગરબેઘુમતાભક્તોપર નવદુર્ગાની કૃપા થાય
પાવનકૃપા અજબશક્તિશાળી માતાની મળે,જીવનમાં અનંતશાંંતિ મળીજાય
....એ અજબશક્તિ માતાની ભક્તોપર,શ્રધ્ધાથી પુંજન કરતા નવદુર્ગાથીય ઓળખાય.
*****************************************************************