સરળતા મળે
##
. સરળતા મળે
તાઃ૧૬/૧૨/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલ માનવદેહ અવનીપર,ગતજન્મના થયેલ કર્મથી મેળવાય અનેકદેહનો સંબંધ જીવને જગતપર,જે કર્મસંબંધથી મળતો થઈ જાય ....પવિત્ર્રરાહે ભક્તિનો સંગાથ રાખતા,મળેલદેહના જીવને સરળતા મળી જાય. ભારતદેશમાં પરમાત્માએ અનેકદેહ લીધા,દુનીયામાં દેશને વંદન કરાય અજબશક્તિશાળી એ દેહ હતા,જે જીવના દેહને પવિત્રરાહ દઈ જાય માનવદેહને એ પવિત્ર પ્રેરણા કરે,એ અનેક રાહે સરળતા આપી જાય ભક્તિમાર્ગ એ જીવને પ્રેરણા આપે,જે દેહની માનવતા મહેંકાવી જાય ....પવિત્ર્રરાહે ભક્તિનો સંગાથ રાખતા,મળેલદેહના જીવને સરળતા મળી જાય. મારુતારુ એ દેહનો સંબંધ જીવનમાં,જે સમય સંગે સમજણ આપી જાય કુદરતની પાવનકેડીને પારખીને જીવન જીવતા,નાઆફત કોઇ અડી જાય સરળ જીવનનો સાથ મળે દેહને,જ્યાં પરમાત્માની પાવનકૃપા મળી જાય માતા સરસ્વતીની કૃપા મળે દેહને,જે દેહના મગજને સત્કર્મેજ દોરી જાય ....પવિત્ર્રરાહે ભક્તિનો સંગાથ રાખતા,મળેલદેહના જીવને સરળતા મળી જાય. *************************************************************