December 6th 2020

જય દુર્ગામાતા

   કાલરાત્રિએ દેવી શા માટે કહેવાયા મહિષાસુર મર્દિની જાણો અહિં - Sandesh
            જય દુર્ગામાતા   
તાઃ૬/૧૨/૨૦૨૦            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા મળે દુર્ગામાતાની ભક્તને,જ્યાં શ્રધ્ધાભાવનાથી માતાને વંદન થાય
ઉજવળ જીવનની રાહ મળે જીવનમાં,પાવનકર્મનો સંગાથ જીવને આપી જાય
.....એજ કૃપા થઈ દુર્ગા માતાની,જે નવ સ્વરૂપથી હિંદુ ધર્મમાં દર્શન કરાવી જાય.
અજબલીલા માતાની અવનીપર,સમયસંગે સમજાય જે મહિષાસુરને મારી જાય
પવિત્રરાહે જીવન જીવવા આંગળી ચીંધે,જે મળેલ દેહને પવિત્રકર્મ કરાવી જાય
જીવને મળે દેહ જગતપર જે થયેલ કર્મથી,અવનીપરના સંબંધે જ મળતો જાય
માનવદેહને પાવનરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથીજ દુર્ગામાતાનુ પુંજન કરાય
.....એજ કૃપા થઈ દુર્ગા માતાની,જે નવ સ્વરૂપથી હિંદુ ધર્મમાં દર્શન કરાવી જાય.
નવદુર્ગાના નવ સ્વરૂપને નવરાત્રીના પ્રસંગે,ગરબા ગાઈ માતાને પ્રેમથી પુંજાય
દુર્ગામાતાના આસ્વરૂપો હિંદુ ધર્મને પ્રસરાવી,મળેલદેહને પાવનરાહ આપી જાય
જગતપર પાવનધર્મમાં ભારતદેશમાં જન્મ લઈ,અનેક પવિત્રદેહથી દર્શન દઈજાય
પવિત્ર સ્વરૂપ લીધુ અવનીપર,એ માતા દુર્ગાના નામથી ભારતમાં પુંજન કરાય
.....એજ કૃપા થઈ દુર્ગા માતાની,જે નવ સ્વરૂપથી હિંદુ ધર્મમાં દર્શન કરાવી જાય.
##################################################################