વિદાય સમયને
.
. વિદાય સમયને
તાઃ૩૧/૧૨/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દેહ મળે એજ આગમન છે જીવનુ,જે ગતજન્મના કર્મથી મેળવાય મળેલ માનવદેહને પાવનરાહ મળે,એ શ્રધ્ધાભક્તિથીજ મળી જાય .....એ પરમાત્માની કૃપા છે,જે મળેલદેહને સમયની સમજણ આપી જાય. મળેલ દેહને જન્મથી આગમન મળે,જેને ઉંમરથી સમય મળતો જાય માનવદેહનેય સમય મળે,જે બાળપણ,જુવાની,ઘડપણથીજ મેળવાય સમયની સાથે ચાલતા જીવનમાં,તકલીફથી ભગવાનજ બચાવી જાય મળેલ શ્રધ્ધાપર ભરોસો રાખીને જીવતા,માનવદેહને કૃપા મળી જાય .....એ પરમાત્માની કૃપા છે,જે મળેલદેહને સમયની સમજણ આપી જાય. આવતીકાલને ના કોઇજ રોકી શકે,કે ના કોઇ વિદાયને પકડી જાય સવારસાંજ એ કૃપા સુર્યદેવની જગતમાં,જે દેહને સમયે મળતી જાય પાવનરાહે જીવન જીવવા માનવીને,નિર્મળરાહની કેડી પકડીને જીવાય સમય એલીલા પ્રભુની,જે આવતીકાલ મળતાજ આજ ગઈકાલ કહેવાય .....એ પરમાત્માની કૃપા છે,જે મળેલદેહને સમયની સમજણ આપી જાય. #########################################################