April 28th 2008

સ્વપ્ન!!! ના સાકારતા

                            સ્વપ્ન!!! ના સાકારતા
૩૧/૮/૧૯૭૮  
                                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

     હજુ જ્યારે એકલો બેઠો હોઉ ત્યારે મારા મનમંદીરમાં તે દેવી આવી બેસે છે.
તેનો એ ચહેરો, એ નિખાલસ ભાવ, મારા પ્રત્યેની એની લાગણી એની સ્નેહાળ
આંખોમાં જોવા મળતી હતી.આજે જ્યારે મને  મારાજીવનની યાદદાસ્ત ઘડીઓ
યાદઆવે છે.ત્યારે સૌથીપહેલી એનીતસવીર મારી આંખો સામી ઉપસી આવે છે.
આજે તેનાઅસ્તિત્વનો મને ખ્યાલ નથી,પણ હાલતે આ દુનિયાપર છે એમમારો
આત્મા માને છે..ના સાચીવાત છે અને હજુ મારા હ્રદય પરસવાર થઇને બેઠી છે.
આ વાત ને જાણે એક જ દીવસ થયો હોય તેમ લાગે છે.
           મારી અને તેની આંખોનું  મિલન  તેના ઘરની નજીકનાગામમાં થયું હતું.
યુવક મહોત્સવના એ પ્રસંગે જાણે બે માછલીઓ એક જાળમાં ફસાવા આવી ગઇ.
મારો અને તેનો પહેલો પરિચય તો તે પણ  જાણતી ન હોતી. પણ છતાં   અમારી
આંખો એક બીજાને જોવા લાગી જાણે વર્ષોનો સચવાઇ રહેલો પ્રેમ નૈનોથી આજે
મળી રહ્યો છે. ન મારું મોં ખુલ્યુ કે નમારી આંખો ફેરવી લેવાઇ. તેનોસાદોપહેરવેશ,
મોં પરનો નિખાલસ હાવભાવ મારા મનપર સવાર થઇ ગયોહતો.સાદાપહેરવેશમાં
પણ તેનામાં કલાનીઆરાધ્યતા જોવામળતી હતી જ. એમારે મન મનની દેવીહતી,
કારણ મેં મારા મનમંદીરમાં કલાને સ્થાન આપેલ હતું જ, અને આથી જ કલાનીએ
દેવીને મારા મનની દેવી બનાવવાની ભાવના મનમાંજાગી.પ્રથમ પરીચયમાં ફક્ત
હું જ જાણતો હતો કે તે મારા મનની દેવી થવાને લાયક છે.જ્યાંસુધી સાથે રહ્યાત્યાં
સુધી તેના પર મારી નજર, મારું દીલ કુરબાન હતું.પણ હોઠ હલ્યા જ નહીં, સીવાઇ
રહ્યા. જો હાલ્યા હોત તો આજે   એકલો અટુલો ના હોત, તે દેવીને મનના મંદીરમાં
બેસાડી મારા મનનીરાણી બનાવી લાવ્યો હોત,અરે મારા ઘરની રાણી બનાવીલાવ્યો
હોત..પણ!!!
             સમય ક્યાં વહીગયો છે તેમ માની ફરી મળ્યો.એના તરફથી પ્રથમવાર
મારા પરના પ્રેમની વાત તેના મુખેથી સાંભળી.મન હાથમાં ન રહ્યું આમતેમ ઘુમવા
લાગ્યું અને તેના એ ભોળા અને પ્રેમાળ મુખડાને જોઇ મન નાચી ઉઠ્યું. તે પણ મારી
ને તેનીવણ કલ્પી યાદ બની ગઇ. હજુ તો મારા ખભા પર મુકેલા માથાના વાળના
ટુકડા આજે પણ ખભા પર પડેલા છે તેમ લાગે છે. એનો એ પ્રેમાળ ચહેરો,સ્નેહાળ
સ્પર્શ મને અને મારા આત્માને ચીર શાંતિ અર્પી ગયો.એ પ્રેમ મનઆજે ભુલીશકતું
નથી.હજુ તેની એ ધીમી ગતીને નિહાળવા તત્પર છે.તેની બે શબ્દોની લીપીમાં
તેની પ્રેમમાં નિષ્ઠા, કુટુંબ પ્રત્યેની ભાવનાને પામવા હું સમર્થ બનીશ કે નહીં? તે
માટે પ્રયત્ન કરતો જ રહીશ તેમ આત્મા માની રહ્યો છે.દીવાની જ્યોત જેમ બળે છે
તેમ વધુ પ્રકાશ અર્પે છે.જ્યોતને સીધો સંબંધ દીવા સાથે જ છે.પરકાજે સળગતી
જ્યોત જો પોતાની સાચી ભાવનાથી દીપ સાથે સંગ રાખે તો એ જગતમાં હંમેશા
પ્રકાશ આપી શકે છે.પણ આ માટે એકની કુરબાની જગતમાં લખાયેલી જ છે. મારા
પરના અત્યાચારોને હું ભુલવા તૈયાર થયો ત્યારે તેની મહાન ભાવનાને ન ડગાવી
શક્યો. જ્યોતને ન સમાવી શક્યો . જો એ ભાવના ડગાવી શક્યો હોત તો જ્યોતના
સહવાસથી દીપ જગતને પ્રકાશ આપી શક્યો હોત!!!
            અને મને વિશ્વાસ છે કે મારી ભાવના અમર છે એમ લાગતું હતું કારણ
આ જાતની સ્થિતિ મારી આંખો સ્વપ્નામાં પાંચમી વાર જોઇ ચુકી હતી અને તેપણ
પરોઢના સમયે. કારણ જ્યારે જ્યારે આ સ્વપ્ન આવ્યુ ત્યારબાદ સવારના
પાંચના ટકોરાથી જાગીજવાયું હતું.
      કહેવત છે કે વહેલી પરોઢનું સ્વપ્ન સાચું જ પડે છે. શું મારે પણ??????


************************************************************************