December 10th 2008

સુખ અને દુઃખ

                        સુખ અને દુઃખ

તાઃ૯/૧૨/૨૦૦૮                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

સુખદુઃખની સાંકળમાં જીવન જકડાઇ જાય
         પ્રેમ ભક્તિની લગન મળે ત્યાં જીવને શાંન્તિ થાય

સકળ વિશ્વના જીવ જગતમાં માનવ છે મલકાય
અવનીપરના આગમનમાં જ પાવનકર્મ છે થાય
લગની મનને લાગે જેની જીવ સંગે જ તે જોડાય
કર્મતણા બંધન તો જીવને જન્મમળતા મળીજાય
                                   ……….સુખદુઃખની સાંકળમાં.
ભક્તિના બંધન તો સૌને સમજે તે જ તરી જાય
પરમપિતાની કૃપા જ મળે ને જીવને શાંન્તિ થાય
મારુ તારુ અળગુ થાય અને જીવ મુક્તિએ જોડાય
સુખદુઃખનાબંધનનાવળગે જ્યાંભક્તિમાં લીનથાય
                                   ……….સુખદુઃખની સાંકળમાં.
આજકાલની મનની લાગણીએ જીંદગી એળે જાય
સમયની પગલી ના પારખે તો મૃત્યુ આવી જાય
જીવભટકે જગત મહી જેનો ના જગમાં કોઇઆધાર
જન્મ સાર્થક થઇજશે જ્યાં પ્રભુથી અંતરપ્રેમ થાય
                                   ……….સુખદુઃખની સાંકળમાં.
========================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment