January 2nd 2011

સાંઇને શરણે

                           સાંઇને શરણે

તાઃ૨/૧/૨૦૧૧                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

મહેર થતાં પરમાત્માની,માનવ જીવન મળી ગયું
પાવન કરવા રાહમળી,ને સાંઇબાબાનું શરણુ થયું
                       …………મહેર થતાં પરમાત્માની.
ભક્તિ ભાવની જ્યોત ન્યારી,જો જીવનમાં દેખાય
મળે સંસ્કારનો સાથ જીવને,જન્મ સફળ થઈ જાય
શરણુ લીધુ સાંઇબાબાનું,ત્યાં દેહને સાચીરાહ મળી
માનવતાની મહેંકથીતો,પાવનકર્મની જ્યોત લીધી
                        ………..મહેર થતાં પરમાત્માની.
શ્રધ્ધાનો શણગાર મળતાં તો,ના વ્યાધી જીવને રહી
મણકા માળાના હાથથી ફરતાં,સાંઇનામની ધુનમળી
ઉજ્વળ પ્રભાત પારખી લેતાં,સાંઇબાબાની કૃપાલીધી
પાવન પ્રેમની જ્યોત લેતાં,જન્મ સફળની રાહ મળી
                        …………મહેર થતાં પરમાત્માની.

************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment