January 4th 2011

પાગલપણ

                             પાગલપણ

તાઃ૪/૧/૨૦૧૧                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

મતી કોની છે કેટલી જગમાં,ના કોઇથીય પરખાય
માનવતાની મહેંક મેળવવા,દેહે પ્રભુ કૃપા શોધાય
                  …………મતી કોની છે કેટલી જગમાં.
મોહમાયાની સંગેરહેવા,જીવનમાં ઘણુંબધું ખોવાય
દેખાવની દુનીયામાં રહેવા,માબાપનેય તરછોડાય
કળીયુગનીકેડી દેખાયનિરાળી,જો દેહ જકડાઇ જાય
મૃત્યુ પહેલાં મરી જાય દેહ,ના કોઇથીય બચાવાય
                   ………..મતી કોની છે કેટલી જગમાં.
અલૌકિક અપેક્ષા દેહની,જે કઈકેવી તેનાથીપરખાય
ઉજ્વળ જીવનને રાહમળે,જે ભક્તિ થકીજ મેળવાય
ના સમજે જે માનવી મન,તેને પાગલપણ કહેવાય
નિરર્થકબને માનવજન્મ,જીવ અવગતે ચાલ્યો જાય
                    ……….. મતી કોની છે કેટલી જગમાં.‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

‌*+_(+_+)_+_)()_+_+_)_)()__++_)_)()_+_++()

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment