January 4th 2013

માની મમતા

.                     .માની મમતા

તાઃ૪/૧/૨૦૧૩                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમની વર્ષા થાય જીવનમાં,જ્યાં સંસ્કારને સચાવાઇ જાય
માની મમતા પ્રેમ પિતાનો,એ સંતાનની સફળતા થઈજાય
.                       …………………પ્રેમની વર્ષા થાય જીવનમાં.
જીવને મળતા જન્મ અવનીએ,માબાપના બંધનથી બંધાય
મળે માનો પ્રેમ સંતાનને,ત્યાંજ જીવનમાં સંસ્કાર મળી જાય
ઉજ્વળ જીવનનીરાહ મળે જગે,એજ તેની લાયકાત કહેવાય
વડીલને કરતાં વંદન જીવનમાં,પ્રભુની અનેક કૃપા થઈ જાય
.                     …………………..પ્રેમની વર્ષા થાય જીવનમાં.
પ્રેમ પિતાનો સંતાન પર વર્ષે,જ્યાં પાવન રાહ જીવે પકડાય
મહેનત મનથી કરતાં જીવનમાં,સાચી સફળતા મળતી જાય
મોહમાયાને દુર રાખતા જીવને,સિધ્ધીના સોપાન મળી જાય
આશીર્વાદની સાચીકેડી મળતાં,માબાપને અનંતઆનંદ થાય
.                     …………………..પ્રેમની વર્ષા થાય જીવનમાં.

====================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment