January 27th 2013

મળતી જાય

.                     .મળતી જાય

તાઃ૨૭/૧/૨૦૧૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવ જીવન ઉજ્વળ કરવા,તનમનથી સમજાય
મળી રહેલી શીતળ કેડીએજ,સફળતા મળતી જાય
.           …………………માનવ જીવન ઉજ્વળ કરવા.
મળેલ જીવન આ કેડી સંગે,કર્મ બંધનથી જ બંધાય
સરળતાની સાચી રાહે,જીવને નિર્મળતા મળી જાય
મનથી માગણી પ્રભુથી કરતાં,શ્રધ્ધાએ જ  મેળવાય
ઉજ્વળતાનો સંગ રહેતા જીવને,સાચીરાહ મળીજાય
.          ………………… માનવ જીવન ઉજ્વળ કરવા.
ભક્તિ ભાવને સમજી ચાલતા,ભક્તિની રાહ મળી જાય
જલાસાંઇને પ્રાર્થના કરતાં,જીવથી પાવન કર્મોજ થાય
મોહ માયાની ચાદર છુટતાં,જીવે કર્મ બંધન છુટી જાય
નિર્મળ જીવન જીવી લેતા,જીવને મુક્તિમાર્ગ મળીજાય
.          …………………..માનવ જીવન ઉજ્વળ કરવા.

.++++++++++++++++++++++++++++++