January 13th 2013

અંધકારને વિદાય

                  .અંધકારને વિદાય

તાઃ૧૩/૧/૨૦૧૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

કર્મની કેડી વાંકી મળતા,જીવનમાં અંધકાર છાયી જાય
પામર જીવને ના સમજણ રહેતા,કળીયુગ વળગી જાય
.                           ………………..કર્મની કેડી વાંકી મળતા.
જન્મ મળે જીવને અવનીએ,ત્યાં કર્મબંધનથી એ બંધાય
સગા સંબંધીની સ્નેહી સાંકળે જ, જીવ અવનીએ ભટકાય
મોહમાયાની કાતર ચાલતાં,જીવનો સુખસાગર છુટી જાય
મનની શાંન્તિ માળીયે મુકાતા,દુઃખની કેડીજ મળતી જાય
.                         ………………….કર્મની કેડી વાંકી મળતા.
ઉજ્વળરાહ મળે ત્યાં જીવને,જ્યાં સાચીભક્તિ પ્રેમથી થાય
અંધકારના વાદળ દુર જતા થાય,જ્યાં જલાસાંઇને ભજાય
મળે પરમાત્માની કૃપા જીવને,જે મુક્તિ માર્ગ બતાવી જાય
અંત આવતા દેહનો અવનીએ,સ્વર્ગનાદ્વાર પણ ખુલી જાય
.                        …………………..કર્મની કેડી વાંકી મળતા.

================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment