January 24th 2013

લાગણી છોડી

.                         .લાગણી છોડી

તાઃ૨૪/૧/૨૦૧૩                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાચી રાહ મળતા જીવનમાં,જીવને અતિ આનંદ થઈ જાય
મુકતા લાગણી મનથીઆઘી,ત્યાંજગની ઝંઝટ ભાગી જાય
.                        ………………… સાચી રાહ મળતા જીવનમાં.
કળીયુગની આ વહેતી ગંગા,જ્યાં ત્યાં માનવીને લઈ જાય
ભોગ ઉપભોગની વિચીત્ર રાહે,મળેલ જીવન વેડફાઇ જાય
આજની ચિંતા છોડી માનવી,કળીયુગી આવતી કાલે ફસાય
નામળે સહારો અંતે જીવનમાં,જે સાચીરાહ જીવને દઈજાય
.                        …………………. સાચી રાહ મળતા જીવનમાં.
આવીદોડી મળે લાગણી,ત્યાં માનવીમન અહીંતહીં ભટકાય
સમજ નાઆવે સમયની જીવને,જે જીવન વ્યર્થ કરીને જાય
મોહમાયાની એકજ ઝાપટે,જીવ જગતમાં ભમતો થઈ જાય
નિર્મળ પ્રેમને પકડી રાખતાં,કળીયુગી મુંઝવણ ભાગી જાય
.                        …………………..સાચી રાહ મળતા જીવનમાં.

======================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment