ભક્તિ તાલ
. ભક્તિ તાલ
તાઃ૧૩/૨/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શાંન્તિ આવતી દોડી આંગણે,જ્યાં પ્રભુકૃપા મળીજાય
મનથી કરતાં ભક્તિ સાચી,નિર્મળ શ્રધ્ધા આપી જાય
. ………………શાંન્તિ આવતી દોડી આંગણે.
પુંજન અર્ચન પ્રેમથી કરતાં,જીવને ભક્તિ રાહ મળી જાય
મળેલ કેડી જીવને અવનીએ,નિર્મળ સુખ શાંન્તિદઈ જાય
ભક્તિ નિર્મળ પ્રેમથી કરતાં,સાચી સંત કૃપાય મળી જાય
જીવને ઉજ્વળરાહ મળતાં,નાકોઇ આફત પણઆવી જાય
. …………………શાંન્તિ આવતી દોડી આંગણે.
કર્મની કેડી જીવથી છુટે,જ્યાં સંત જલાસાંઇની પુંજા થાય
ધુપદીપને નિત્ય પ્રેમથી કરતાં,કૃપાએ જીવને શાંન્તિ થાય
માગણીમોહ છોડી પુંજતાં,પરમકૃપા પ્રભુની જીવ પર થાય
અંત આવે દેહનો અવનીએ,બારણે પરમાત્મા આવી જાય
. …………………. શાંન્તિ આવતી દોડી આંગણે.
================================