ૐ ૐ ૐ
.
.
.
. ૐ ૐ ૐ.
તાઃ૨૫/૨/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ૐ શબ્દની સાંકળ છે ન્યારી,જીવ મુક્તિ માર્ગે દોરાય
ૐનુ થયેલ ઉચ્ચારણ મનથી,શ્રી શિવ ભોળા હરખાય
. ……………. .ૐ શબ્દની સાંકળ છે ન્યારી.
ૐ નમઃ શિવાયનુ સ્મરણ કરતાં,કૃપા પ્રભુની થઇ જાય
ૐ શબ્દએક શ્વાસે સ્મરતાં,શરીરે સ્પન્દન અદભુત થાય
ૐૐ રટતા સોમવારે,પરમકૃપાળુ શિવજીની દ્રષ્ટિ થાય
ૐની છે તાકાત જગતમાં,ના કોઇ મેલી શક્તિ અથડાય
. ………………..ૐ શબ્દની સાંકળ છે ન્યારી.
ૐ થી ઉજ્વળ જીવન છે,જે સ્મરણ માત્રથી અનુભવાય
ૐ ની માયા જીવને લાગતા,માનવજીવન પાવન થાય
ૐ ની છે તાકાત જગતમાં,જીવને અનુભવે જ સમજાય
ૐૐ સ્મરણ કરતાં કરતાં,જીવથી મુક્તિ માર્ગ મેળવાય
. ………………..ૐ શબ્દની સાંકળ છે ન્યારી.
++++++++++++++++++++++++++++++++++++