February 25th 2013

ૐ ૐ ૐ

 

 

 

 

.

.

.

.                       ૐ.

તાઃ૨૫/૨/૨૦૧૩                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

ૐ શબ્દની સાંકળ છે ન્યારી,જીવ મુક્તિ માર્ગે દોરાય
ૐનુ થયેલ ઉચ્ચારણ મનથી,શ્રી શિવ ભોળા હરખાય
.                      ……………. .ૐ શબ્દની સાંકળ છે ન્યારી.
ૐ નમઃ શિવાયનુ સ્મરણ કરતાં,કૃપા પ્રભુની થઇ જાય
ૐ શબ્દએક શ્વાસે સ્મરતાં,શરીરે સ્પન્દન અદભુત થાય
ૐૐ રટતા સોમવારે,પરમકૃપાળુ શિવજીની દ્રષ્ટિ થાય
ૐની છે તાકાત જગતમાં,ના કોઇ મેલી શક્તિ અથડાય
.                    ………………..ૐ શબ્દની સાંકળ છે ન્યારી.
ૐ થી ઉજ્વળ જીવન છે,જે સ્મરણ માત્રથી  અનુભવાય
ૐ ની માયા જીવને લાગતા,માનવજીવન પાવન થાય
ૐ ની છે તાકાત જગતમાં,જીવને અનુભવે જ સમજાય
ૐૐ સ્મરણ કરતાં કરતાં,જીવથી મુક્તિ માર્ગ મેળવાય
.                    ………………..ૐ શબ્દની સાંકળ છે ન્યારી.

++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment