મનથી માગણી
. મનથી માગણી
તાઃ૨૬/૨/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શીતળતાને સમજી લેતાં,કર્મની કેડી પાવન થાય
મનથી થતી સાચીમાગણીએ,જીવન ઉજ્વળ થાય
. ……………..ના કદી મોહ માયા મળતી જાય.
આગમન વિદાયના બંધન,પ્રભુ કૃપાએ જ મેળવાય
થયેલ કર્મ જીવનમાં સારા,જીવને શાંન્તિઆપી જાય
ભક્તિનો સંગાથ રહેતા,દેહની વ્યાધીઓ ભાગી જાય
એજ અપેક્ષા અંતરમાં રહેતી,જે ભક્તિએ મળી જાય
. ………………….. શીતળતાને સમજી લેતાં.
માનવજીવન છે સત્કર્મની કેડી,સાચી રાહ આપી જાય
જલાસાંઇની થતી ભક્તિએ,જીવને મુક્તિએ દોરી જાય
નિર્મળતાના વાદળ સંગે,જીવનનીજ્યોત પ્રગટી જાય
સુખશાંન્તિનો સંગાથ મળતા,આજન્મ સફળ થઇ જાય
. ………………….શીતળતાને સમજી લેતાં.
=============================