મનની માન્યતા
. મનની માન્યતા
તાઃ૨૭/૩/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની છે કૃપા અનેરી,માનવ જીવનથી સમજાય
હાથ પકડી પરમાત્મા ચાલે,ત્યાંજ માનવતા મહેંકાય
. …………………કુદરતની છે કૃપા અનેરી.
અજબકૃપા છે અવિનાશીની,સદકર્મોથી જ સહેવાય
દરેક કેડીએ જીવને જીંદગીમાં,સરળતાજ મળી જાય
અંતરને મળતો આનંદ અનેરો,ને પામરતા મહેંકાય
માનવજીવન સરળ બનતા,આ જીવન મહેંકી જાય
. …………………કુદરતની છે કૃપા અનેરી.
મનથી થયેલ ભક્તિજીવને,સાચી સમજણ આ પીજાય
શ્રધ્ધા અને વિશ્વાસની જ્યોત,આજીવન પ્રગટાવી જાય
માન્યતા એતો અતુટ કૃપા છે,જે જીવને જગે અનુભવાય
આવી પ્રેમ મળે જલાસાંઇનો,મળેલજન્મસફળ કરી જાય
. ………………….કુદરતની છે કૃપા અનેરી.
=================================