June 25th 2013

કર્મબંધન

sai

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.                    . કર્મબંધન

તાઃ૨૫/૬/૨૦૧૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

ક્યાંથી મળશે ક્યારે મળશે,ના કોઇથી કદી કહેવાય
ઉજ્વળ જીવનની ન્યારી કેડી,સમજણથી સમજાય
.                     …………………ક્યાંથી મળશે ક્યારે મળશે.
અવનીપરનુ આગમન બને છે,જીવની સાચી રાહ
પામરજીવન માનવીનુ,કૃપાએ થઈ જાય છે ન્હ્યાલ
કર્મનીકેડી ઉજ્વળબને,જ્યાં જલાસાંઇની પુંજાથાય
જીવનેસંબંધ મળે છે કર્મના,જે જીવની કેડી કહેવાય
.                   …………………ક્યાંથી મળશે ક્યારે મળશે.
માનવતાની મહેંક પ્રસરે,જ્યાં માનવતા સમજાય
જન્મ જીવના સંબંધ ન્યારા,જેને કર્મબંધન કહેવાય
મહેંક પ્રસરે કર્મની કેડીએ,જે સંસ્કારથી જ સચવાય
કરેલકર્મના બંધનએવા,જે મુક્તિ માર્ગેય દોરી જાય
.                     ………………….ક્યાંથી મળશે ક્યારે મળશે.

+++++++++++++++++++++++++++++++++++

June 25th 2013

ગજાનંદ

Lord Shiv Mata Parvati

 

 

 

 

 

 

 

 

 

 

 

.                    . ગજાનંદ

તાઃ૨૫/૬/૨૦૧૩                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગણપતિ કહો કે ગજાનંદ,એ છે ભોળા શીવજીના સંતાન
માતા પાર્વતીનાએ લાડલા,જગતજીવના છે એ કરતાર
.                               …………………ગણપતિ કહો કે ગજાનંદ.
અવનીપરનુ આગમન જીવનુ,ગજાનંદની કલમે સચવાય
કર્મ બંધનને પકડી ચાલતો જીવ,સાચી ભક્તિએ બચી જાય
અગમનિગમના ભેદ અનોખા,ના માનવમનને એ સમજાય
કૃપા મળે ગજાનંદની જીવને,જ્યાં ભોલેનાથની ભક્તિ થાય
.                                ………………….ગણપતિ કહો કે ગજાનંદ.
માનવજીવની શ્રધ્ધા છે સાચી,જેને સબુરીય પણ કહેવાય
અલ્લા ઇશ્વરને એક જ માનતા,જગે માનવતા મહેંકી જાય
આવી મળે પ્રેમ પરમાત્માનો,એને જ સાચી ભક્તિ કહેવાય
આંગણે આવીને આશીર્વાદ મળે,ત્યાં ગજાનંદની કૃપા થાય
.                             ……………………ગણપતિ કહો કે ગજાનંદ.

======================================