ગજાનંદ
. . ગજાનંદ
તાઃ૨૫/૬/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગણપતિ કહો કે ગજાનંદ,એ છે ભોળા શીવજીના સંતાન
માતા પાર્વતીનાએ લાડલા,જગતજીવના છે એ કરતાર
. …………………ગણપતિ કહો કે ગજાનંદ.
અવનીપરનુ આગમન જીવનુ,ગજાનંદની કલમે સચવાય
કર્મ બંધનને પકડી ચાલતો જીવ,સાચી ભક્તિએ બચી જાય
અગમનિગમના ભેદ અનોખા,ના માનવમનને એ સમજાય
કૃપા મળે ગજાનંદની જીવને,જ્યાં ભોલેનાથની ભક્તિ થાય
. ………………….ગણપતિ કહો કે ગજાનંદ.
માનવજીવની શ્રધ્ધા છે સાચી,જેને સબુરીય પણ કહેવાય
અલ્લા ઇશ્વરને એક જ માનતા,જગે માનવતા મહેંકી જાય
આવી મળે પ્રેમ પરમાત્માનો,એને જ સાચી ભક્તિ કહેવાય
આંગણે આવીને આશીર્વાદ મળે,ત્યાં ગજાનંદની કૃપા થાય
. ……………………ગણપતિ કહો કે ગજાનંદ.
======================================