નિર્મળભક્તિ
. .નિર્મળ ભક્તિ
તાઃ૨૭/૮/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિર્મળ ભક્તિ ને પાવન કર્મ,જીવનને આપે છે સાચો ધર્મ
ઉજ્વળ જીવન મળતા જીવને,સમજી જાય છે દેહનો મર્મ
. ……………………. નિર્મળ ભક્તિ ને પાવન કર્મ.
દેહ મળે જ્યાં અવનીએ જીવને,કરેલ કર્મની કેડી પરખાય
જન્મોજન્મના બંધન મળતાં,સમજાઇ જાય છે જીવનાકર્મ
માનવ જીવન એ મહેંક બને,જ્યાં સમજીને જીવનજીવાય
મળે છે માયા દરેક જીવને,ના જગતમાં કોઇથીય છટકાય
. …………………….નિર્મળ ભક્તિ ને પાવન કર્મ.
અંત દેહનો અદભુત બને ત્યાં,જ્યાં નિર્મળ ભક્તિ મેળવાય
અજબપ્રેમ મળે અવનીથી,જીવને મુક્તિ માર્ગ મળી જાય
ભક્તિ કેરી એકજ સીડી મેળવતાં,જલાસાંઇની ભક્તિ થાય
મુક્તિકેરી સાચીરાહે જીવ,જન્મમરણના બંધનથી છુટીજાય
. …………………..નિર્મળ ભક્તિ ને પાવન કર્મ.
******************************************