આંગળી ચીંધેલ
. .આંગળી ચીંધેલ
તાઃ૨૦/૧૦/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જલારામની ચીંધેલ આંગળીએ,પાવનકર્મ જીવનમાં થાય
આંગણે આવી ઉભેલ જીવોને,અન્નદાન આપીને હરખાવાય
………… એવા જલારામની સાચી ભક્તિએ,ભગવાન ભાગી જાય.
માનવજીવનની મહેંક પ્રસરે,જ્યાં પ્રેમે માનવતા સચવાય
નિર્મળભાવનાએ ભક્તિ કરતાં,જીવને સાચીરાહ મળી જાય
વિરબાઇ માતાના સંસ્કારે,જલારામની જ્યોત પ્રગટી જાય
ઝોળી ને લાકડી આપીને ભાગતા,પરમાત્મા પણ છટકી જાય
…………. એવા જલારામની સાચી ભક્તિએ,ભગવાન ભાગી જાય.
લાગણીમોહને દુર રાખતા,જીવને પરમાત્માનીકેડી મળી જાય
કર્મનાબંધન એ જીવને સ્પર્શે,પણ સાચી ભક્તિએ દુર રહેવાય
શ્રધ્ધા ને વિશ્વાસ રાખીને ભજતા,જીવને કળીયુગના અથડાય
અન્ન્દાનની કેડીએ જીવતા,પરમાત્માની પરમકૃપા મળી જાય
…………… એવા જલારામની સાચી ભક્તિએ,ભગવાન ભાગી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++=