એ સનાતન સત્ય
. . એ સનાતન સત્ય
તાઃ૨૩/૫/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉજ્વળ જીવનની રાહ લેવા,જીવનમાં સત્કર્મને સચવાય
પામી નિખાલસપ્રેમ રહેતા,મળેલ જીવન પવિત્ર જીવાય
……એજ સનાતન સત્ય છે,જે જીવનમાં પાવનકર્મ કરાવી જાય.
મળે આશિર્વાદ માબાપના,જે વડીલને વંદન કરાવી જાય
નિર્મળતાનો સંગ રાખતા,નાકોઇ ખોટીરાહ જીવનમાં દેખાય
પરમપ્રેમની પરખ થઈ જાય,જ્યાં સારા મિત્રો મળી જાય
આવી આંગણે ઉભા રહેએ,જે જીવને સાચીરાહ આપી જાય
……એજ સનાતન સત્ય છે,જે જીવનમાં પાવનકર્મ કરાવી જાય.
મોહમાયા તો કળીયુગી કાતર,મળતા સુખનેએ કાપી જાય
સુર્યદેવની સાચીભક્તિ કરતા,પ્રત્યક્ષ દર્શન પણ થઈ જાય
નામાળા નામંદીરની જરૂર પડે,કે નાકોઇ આફત અથડાય
ઉદયઅસ્ત એ પ્રભાતસાંજ છે,જે અબજો જીવોને સમજાય
……એજ સનાતન સત્ય છે,જે જીવનમાં પાવનકર્મ કરાવી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++