જતન
. .જતન
તાઃ૨૪/૫/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જતન પ્રેમથી માબાપનુ કરતાં,કર્મ પાવન થઈ જાય
સંસ્કારની શીતળ કેડી મળતાં,ઉજ્વળ રાહ મળી જાય
…………..એજ કૃપા સુર્યદેવની,જીવોને દર્શન આપી જાય.
માન સન્માન છે કર્મની કેડી,જે નિર્મળ સમજે સમજાય
મળે જીવનમાં અનંત શાંન્તિ,જ્યાં અનંતકૃપા થઈજાય
ના અપેક્ષા ના માગણી ખોટી,કળીયુગમાં અથડાઈ જાય
સરળ જીવનની રાહમળે,જ્યાં પ્રભાતે સુર્યદેવને પુંજાય
…………..એજ કૃપા સુર્યદેવની,જીવોને દર્શન આપી જાય.
અજબ શક્તિશાળી છે એદેવ,હજારો વર્ષોથી દર્શન થાય
મળે કૃપા ત્યાં જીવને,જ્યાં વડીલનું દીલથી જતન થાય
સુખદુઃખના વાદળ છુટતાં,જીવને મુક્તિ રાહ મળી જાય
અવનીપરનુ આવનજાવન,એ કર્મબંધનથી છુટી જાય
………….એજ કૃપા સુર્યદેવની,જીવોને દર્શન આપી જાય.
==========================================