May 30th 2015

માયા લાગી

.                      .માયા લાગી

તાઃ૧૯/૪/૨૦૧૫                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

માયા લાગી જીવને અવનીએ,કર્મનીકેડી મળી જાય
અવનીપરનુ આવનજાવન,એજન્મમરણ દઈ જાય
………એજ બંધન કળીયુગના,જીવને સંબંધથી જકડી જાય.
મળે કાયા જીવને જગતમાં,જે દ્રષ્ટીથી દેખાઈ જાય
પ્રાણી,પશુ કે માનવ બને,જે કર્મબંધનથી મેળવાય
પરમાત્માની અજબલીલા,ના કોઇથીય સમજાવાય
કર્મની કેડી શીતળ બને,જ્યાં માયાથીજ દુર રહેવાય
………એજ બંધન કળીયુગના,જીવને સંબંધથી જકડી જાય.
મળે પ્રેમ માબાપનો સંતાનને,જે જગેદેહ આપી જાય
સરળતાનો સંગ રાખવા જીવથી,ભક્તિકેડીને પકડાય
શ્રધ્ધા રાખી ભક્તિ કરતાં,સંત જલાસાંઇની કૃપા થાય
માયાછુટે ને મોહભાગે,એ જીવને મુક્તિમાર્ગેદોરી જાય
………એજ બંધન કળીયુગના,જીવને સંબંધથી જકડી જાય.

==================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment