May 30th 2015

શું લઈ જવાના

.                    .શું લઈ જવાના

તાઃ૨૯/૫/૨૦૧૫                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

શું લાવ્યા શું લઈ જવાના,ના કોઇ જીવને સમજાય
કર્મકેડીનુ બંધન રહેતાજ,એ અવનીએ આવી જાય
………..મળે કયો દેહ અવનીએ જીવને,ના કોઇને સમજાય.
મોહમાયાએ છે કર્મની કેડી,જે  દેહ મળતાજ દેખાય
કળીયુગ સતયુગ એ જીવનુ બંધન,વર્તનથી દેવાય
ભક્તિભાવની શીતળ રાહ,માનવતા મહેંકાવી જાય
અવનીપરની વિદાય વેળાએ,ભક્તિ સંગે લઈ જાય
………..મળે કયો દેહ અવનીએ જીવને,ના કોઇને સમજાય.
પરમ કૃપા સુર્યદેવની,જગતમાં સવારસાંજ દઈ જાય
અસીમ કૃપા છે એ દેવની,જે પ્રત્યક્ષ દર્શન આપી જાય
પ્રભાતે અર્ચનાકરતા,અંતેજીવને મુક્તિમાર્ગ મળીજાય
શું લાવ્યા શું લઈ જવાના,જીવ વ્યાધીઓથી છુટી જાય
………..મળે કયો દેહ અવનીએ જીવને,ના કોઇને સમજાય. ======================================

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment