જ્યોત નિર્મળ
.
.
.
.
.
.
.
.
.
.
.
.
. .જ્યોત નિર્મળ
તાઃ૭/૬/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અસીમ કૃપા છે પરમાત્માની,જે જલાબાપાથી દેખાય
અનેક જીવોને પ્રેમથી ખવડાવીને,પ્રભુકૃપા લઈ જાય
….એ વિરબાઈ માતાની સંસ્કારી કેડીથી જલાબાપાને મળી જાય.
નિર્મળભાવે ભક્તિ કરતાં,ને મનથી કર્મ એ કરી જાય
ના માગણી ના મોહ તેમને,તેમના કર્મથી એ દેખાય
વિરબાઇ માતાની પવિત્ર રાહે,પરમાત્મા ભાગી જાય
લાકડી ઝોળી એ કૃપા પ્રભુની,જે પરીક્ષાએ મળી જાય
….એ વિરબાઈ માતાની સંસ્કારી કેડીથી જલાબાપાને મળી જાય.
રામનામની માળા કરતા,ને કર્મની કેડી પકડીએ જાય
મળેલરાહ માબાપથી જીવનમાં,કુળ ઉજ્વળ કરી જાય
સંસ્કાર મળેલા સાચવી વિરબાઇ,પતિના પગલે જાય
એજ સાચી નિર્મળ જ્યોત,જે જીવને કૃપાએ મળી જાય
….એ વિરબાઈ માતાની સંસ્કારી કેડીથી જલાબાપાને મળી જાય.
=====================================