June 18th 2015

જલાસાંઇ જ્યોત

saijala

 

.

.

.

.

.

.

.

.                 .જલાસાંઇ જ્યોત

તાઃ૧૮/૬/૨૦૧૫                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવજીવનની મહેંક પ્રસરે,જ્યાં માનવતા સચવાય
જલાસાંઇની જ્યોત જીવને,અનંત આનંદ આપી જાય
………..શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા,પરમાત્માનો પ્રેમ મળી જાય.
જલારામની નિર્મળ ભક્તિ,જીવને ભક્તિરાહ દઈ જાય
વિરબાઈ માતાની પ્રેમ જ્યોતે,પરમાત્મા  ભાગી  જાય
ઝોળી દંડો આપીને ભાગતા,સાચી માનવતા સમજાય
મુક્તિમાર્ગની આંગળી ચીંધતા,જીવોને રાહ મળી જાય
………..શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા,પરમાત્માનો પ્રેમ મળી જાય.
અવનીપરનુ આગમન સાંઈનુ,નાકોઇ જીવથી બતાવાય
માનવતા મહેંકાવી જીવતા,જીવોને સાચીરાહ આપી જાય
જ્યોતપ્રેમની પ્રગટે જીવનમાં,અનંત શાંન્તિ  આપી જાય
વિદાયલીધી અવનીથી, દેહ જમીનમાં વિલીન થઈ જાય
………..શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા,પરમાત્માનો પ્રેમ મળી જાય.

======================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment