પ્રભુ બચાવે
. પ્રભુ બચાવે
તાઃ૯/૭/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કોણ સાથી ને કોણે બાંધી,ના કોઈ જીવને સમજાય
સમયની શીતળકેડીએ ચાલતા,પ્રભુ બચાવી જાય
…..શ્રધ્ધા રાખી નિર્મળપ્રેમે ભક્તિ કરતા,સરળ જીવન થઈજાય.
માયા કેરા માર્ગ પર ચાલતા જ,હિંમત મનથી રખાય
ડગલે ડગલુ સાચવી ભરતા,ના આફત કોઇ અથડાય
નિર્મળરાહે પગલુભરતા,જીવને નામોહમાયા ભટકાય
મળી જાય કૃપા જલાસાંઇની,સાચીભક્તિ પ્રેમે થાય
……..સરળ જીવનની રાહ મળે,એજ પરમાત્માની કૃપા કહેવાય.
અવનીપર અંધકાર વધે,જ્યાં અનિતીનુ સર્જન થાય
ના માનવીને કોઇ રાહ મળે,જ્યાં પપુડી એપકડી જાય
શ્રધ્ધાનો સંગ રાખી ભક્તિ કરતા,શાંન્તિનો સંગ થાય
ત્યાં જ પ્રભુ બચાવે જીવને,અંતે મુક્તિમાર્ગે દોરી જાય
……..એજ કૃપા પરમાત્માની,જે જલાસાંઇની આંગળીએ ચીંધાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++