શીતળતાનો સંગાથ
. .શીતળતાનો સંગાથ
તાઃ૧૪/૫/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનની આ નિર્મળકેડી,જ્યાં શીતળતાનો સંગાથ
મળે સાચીરાહ જીવનમાં,ના જીવને કોઇથી બંધાય
……એજ સાચી કેડી જીવનમાં,જે સાચી માણસાઇથી મેળવાય.
મનથી કરેલ કર્મ જીવનમાં,સફળતાએ જ દોરી જાય
નાઆશા કે અપેક્ષાને રાખતા,સરળ જીવન થઈ જાય
પરમાત્માની કૃપામળે,ત્યાં ડગલે ડગલુ સચવાઇ જાય
અંતરમાં આનંદ થઈ જાય,જ્યાં જલાસાંઇની કૃપાથાય
……એજ સાચી કેડી જીવનમાં,જે સાચી માણસાઇથી મેળવાય.
મેં કર્યુ ને મારું કર્યુ પકડતા,કળીયુગની કેડી મળી જાય
જીવને મળેલ સાચી સમજણ,એ જ સાચી રાહ દઈ જાય
અપેક્ષાના વાદળઉડતા,જીવથી અજબશાંન્તિ મેળવાય
અંત આવતા દેહનો અવનીથી,મુક્તિમાર્ગની મળીજાય
…….એજ સાચી કેડી જીવનમાં,જે સાચી માણસાઇથી મેળવાય.
=====================================