July 16th 2015

ભાગંભાગ

.            . ભાગંભાગ

તાઃ૧૬/૭/૨૦૧૫            પ્રદીપ બ્રહ્મભટ્ટ

સરળ  જીવનની સમજ મળે,જ્યાં  સમયને સમજાય
મળે  માનતાની મહેંક જીવને,જે પ્રભુકૃપાએ મેળવાય
………..અપેક્ષાના વાદળને છોડતા,ભાગંભાગથી છટકાય.
સમયને ના પકડી શક્યું છે કોઇ,કે ના કોઇથીય છટકાય
મળેલ માનવ દેહ જીવને,જે  જીવને બંધનથી મેળવાય
ભક્તિકેરી જ્યોત પ્રગટતા,માનવ જીવન ઉજ્વળ થાય
પરમાત્માની એકજ કૃપાએ,મળેલ જન્મસફળ થઈ જાય
………..અપેક્ષાના વાદળને છોડતા,ભાગંભાગથી છટકાય.
માયા વળગે  જ્યાં કાયાને,એજ કળીયુગની કેડી કહેવાય
સમજી વિચારી પગલુ ભરતાં,આવતી આફતથીછટકાય
મળે સાચી રાહ ભક્તિની,જ્યાં જલાસાંઇની ભક્તિ થાય
ના અંતરમાં કોઇ ઉભરો રહે,કે નાકોઇ માગણીય  રખાય
………..અપેક્ષાના વાદળને છોડતા,ભાગંભાગથી છટકાય.

==========================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment