July 19th 2015

ઉજ્વળ કાલ

.                  .ઉજ્વળ કાલ

તાઃ૧૯/૭/૨૦૧૫            પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવજીવનની મહેંક પ્રસરે,જ્યાં સમયને પરખાય
ડગલુ પારખી ભરતા જીવનમાં,સફળતા મળી જાય
……..એજ સફળ જીવનની સાંકળ બને,જે નિર્મળતા દઈ જાય.
અવનીપરનુ આગમન દેહને,કર્મબંધન આપી જાય
આવનજાવન દેહનુ અવનીએ,એ સમયેજ સમજાય
કરેલ કર્મ જકડેજીવને,જે અનુભવની દોરીએ દેખાય
આજકાલને સમજી ચાલતા,પવિત્રકર્મ જીવથી થાય
……..એજ સફળ જીવનની સાંકળ બને,જે નિર્મળતા દઈ જાય.
માનવ જીવનમાં મળે કેડી,જેને સમજી પગલુ ભરાય
વિચારના વમળથી નીકળતા,જીવને શાંન્તિ મળીજાય
માયાની ચાદરને છોડતા,ઉજ્વળ કાલ પણ મળીજાય
જન્મ મરણના બંધનછુટે,જે જીવને મુક્તિરાહ દઈજાય
……..એજ સફળ જીવનની સાંકળ બને,જે નિર્મળતા દઈ જાય.
=====================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment