July 27th 2015

માનવતા મળે

.               .માનવતા મળે

તાઃ૨૭/૭/૨૦૧૫               પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુદરતની કેડી છે ન્યારી,જે  જીવને સમજ્ણથી સમજાય
મળેલ દેહને ઉજ્વળરાહ,નિર્મળ માનવતાએ મળી જાય
……..નિખાલસપ્રેમ ને અંતરનોસ્નેહ,જીવને સદમાર્ગે દોરી જાય. પ્રેમનીગંગા જગતમાં વહે છે,લાયકાતે જીવને મળી જાય
સરળજીવનની રાહે ચાલતા,સંત જલાસાંઈની કૃપા થાય
મોહમાયાથી દુર રહેતા,મળેલ દેહ કળીયુગથી  છુટી જાય પરમાત્માની એકજ દ્રષ્ટિએ,પાવનકર્મ જીવનમાં થઈજાય
…….નિખાલસપ્રેમ ને અંતરનોસ્નેહ,જીવને સદમાર્ગે દોરી જાય.
આજને સમજી ચાલતા જીવનમાં,આવતીકાલ સુધરી જાય
મળે આશીર્વાદ માબાપના સંતાનને,જીવનમાં શાંન્તિથાય અજબકૃપા સુર્યદેવની થતાં,જીવની માનવતા પ્રસરીજાય
નાઅપેક્ષાની કોઇ આશા રહે,કે નાકોઇ મુંઝવણ આવી જાય
…….નિખાલસપ્રેમ ને અંતરનોસ્નેહ,જીવને સદમાર્ગે દોરી જાય. =======================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment