April 6th 2016

પ્રેમ પરમાત્માનો

.                .પ્રેમ પરમાત્માનો

તાઃ૬/૪/૨૦૧૬                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમકૃપા પરમાત્માની મળે,જ્યાં નિર્મળ ભક્તિરાહ મેળવાય
શ્રધ્ધા રાખીને પાવનકર્મની કેડી લેતા,જલાસાંઇની કૃપા થાય
………..જીવને મળેલ દેહ અવનીએ,પાવનરાહે જન્મ સફળ કરી જાય.
સવાર સાંજ જ્યોત સુર્યદેવની,જે જીવને સમય થતા સમજાય
પાવન કર્મની કેડી મળે કૃપાએ,જે કરેલ કર્મે જીવને  સ્પર્શી જાય
જન્મમરણના સંબંધસ્પર્શે,જ્યાં સતયુગ કળીયુગના બંધન થાય
નાકોઇ જીવનીતાકાત અવનીએ,કરેલકર્મથી ક્યારેય છટકી જાય
…………જીવને મળેલ દેહ અવનીએ,પાવનરાહે જન્મ સફળ કરી જાય.
અવનીપરનુ આગમન છે બંધન,મળેલ દેહના સંબંધોએ દેખાય
નિર્મળ ભાવનાએ અર્ચના કરતા,સુર્યદેવની પરમકૃપા મેળવાય
સુર્ય સ્નાનની પરમશક્તિ છે એવી,દેહને પાવનરાહ આપી જાય
અપેક્ષાની નામાયા સ્પર્શે દેહને,કે ના જીવથી કોઇ મોહને શોધાય
………..જીવને મળેલ દેહ અવનીએ,પાવનરાહે જન્મ સફળ કરી જાય.

+++++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment