October 24th 2016

મંજીરાના તાલે

……..Image result for શ્રી ભોલેનાથ

.                . મંજીરાના તાલે

તાઃ૨૪/૧૦/૨૦૧૬                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

મંજીરાના તાલની સંગે,શ્રી ૐ નમઃ શિવાયને સ્મરાય
અદભુત શાંન્તિ મળે મહાદેવની,જન્મ સફળ કરી જાય
………ભક્તિરાહની પવિત્ર કેડી મળે,જ્યાં ભોલેનાથની કૃપા થાય.
સોમવારની સવાર નિર્મળ,જ્યાં શ્રીભોલેનાથને ભજાય
ગણપતિના વ્હાલાપિતા,ને માપાર્વતીના પતિ કહેવાય
અજબશક્તિશાળી એ દેવ,જેમની ભક્તિપુંજા ઓળખાય
જીવને મળેલ ભક્તિરાહ,જે મળેલ જન્મ સફળ કરી જાય
………ભક્તિરાહની પવિત્ર કેડી મળે,જ્યાં ભોલેનાથની કૃપા થાય.
શંખચક્રને ત્રિશુળધારી ભોલેનાથ,પવિત્ર ગંગા ધારી જાય
ગૌરીનંદન શ્રીગણપતિનાએ પ્યારા, દર્શનથી અનુભવાય
પુંજાદીવો પ્રેમથી કરતા,શિવલીંગપર દુધની અર્ચના થાય
ૐ નમઃ શિવાયની માળાજપતા,દુઃખનો દરીયો ભાગીજાય
……….ભક્તિરાહની પવિત્ર કેડી મળે,જ્યાં ભોલેનાથની કૃપા થાય.

=======================================