ભક્તિની કૃપા
. . ભક્તિની કૃપા
તાઃ૨૫/૧૦/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અજબ શક્તિ છે ભક્તિમાં,જે કળીયુગથી બચાવી જાય
શ્રધ્ધાભાવથી ભક્તિકરતાં,સંત જલાસાંઇની કૃપા થાય
…………પાવનરાહ ને પાવનજીવન,નિર્મળ ભક્તિએ મળી જાય.
મળેલદેહ માનવનોજીવને,જગતમાંસમજણ આપી જાય
મોહને દુર રાખીને જીવતા,આકળીયુગની કેડીથી છટકાય
સતકર્મની રાહ મળે જીવને,જ્યાં પરમાત્માની કૃપા થાય
માયા બંધન એ કળીયુગના,જે જીવને જ્યાંત્યાંજકડી જાય
…………પાવનરાહ ને પાવનજીવન,નિર્મળ ભક્તિએ મળી જાય.
કર્મનાબંધન એ જીવનીમાયા,સમયસમયથી સ્પર્શી જાય
મારૂતારૂ એ જગતના બંધન,નાકોઇ સાધુબાવાથી છટકાય
મળે માનવમનને માર્ગ દર્શન,જે નિર્મળભક્તિભાવે દેખાય
નાઆફત કે ના તકલીફ અડે,જીવને અંતે મુક્તિ મળી જાય
…………પાવનરાહ ને પાવનજીવન,નિર્મળ ભક્તિએ મળી જાય.
=======================================